Thursday, December 4, 2008

મીડિયા, મુંબઈ અને મુકાબલો

મુંબઈ એટેક અને મીડિયાનો આંતક, બંને સેન્શેનલ જરુર હતાં પણ હુમલો બાહ્ય પરિબળો દ્વારા થયેલો જ્યારે મીડિયા તો આપણું પોતાનું.. તમે કહેશો કે મીડિયાએ કયાં કોઈ નિર્દોષ વ્યકિત પર ગોળીઓ ચલાવી છે. વેલ, આખ્ખી મુંબઈની મનોદશા હતપ્રભ કરી નાખી અને સાઈકોલોજિસ્ટસને મહિનાઓનો ધંધો અપાવી દીધો. તમે કહેશો કે, લોકોને જાણ પણ નહિં કરવાની કે શહેરમાં આવું કંઈક બન્યૂ છે ? જરૂર કરવાની એ જ મીડિયાનું કામ છે.. પણ એની રીતભાત હોય.. શું પીરસવું, કેવી રીતે પીરસવું વગેરે.. ૯/૧૧ વખતે એક પણ ચેનલે લોહી ન્હોતુ બતાવ્યુ. જો એ હકીકત સાવ સત્ય ના હોય તો પણ એ લોકોએ અરેરાટી તો નહીં જ ફેલાવી હોય. છાશવારે સરકારી સંદેશા પ્રસારિત થયા હતાં અને લોકોને મર્ગદર્શન પુરુ પડાતું હતું. અને કયાં આપણી આ કકળાટ ચેનલો ? મુંબઈકાંડ વખતે પણ અમેરિકન મીડિયા થેન્કસગીવીંગની રજાઓ હોય એક-બે દિવસ આ જ સમાચારોનો મારો રહ્યો (કારણ કે એ લંડનથી રિલે થતા હોય, લોકલ સ્ટાફને રજાનો મહત્તમ લાભ મળે.) પણ કયાંય લોહિનો ડાઘ જોવા ના મળ્યો. આનુ નામ તે શિસ્ત.

વેલ આ ખાલી ઈલેકટ્રોનિક્સ મીડિયાની વાત નથી, પ્રીન્ટ મિડિયા પણ કંઈ પાછળ નથીરહ્યુ. ઉદાહરણ જોઈએ છે?

શંકાસ્પદ જહાજને શોધી કાઢતુ ભારતીય નૌકાદળ

ઓબેરોય હોટેલમાં આઠ આતંકવાદી ઘૂસ્યા અને અરેરાટી ફેલાવે તેવા ફોટાઓ.. એકનો એક ફોટો બે વાર પણ ખરો..!

મીડીયા પાર્ટી પર હુમલો


મુંબઈ ખાતે છેલ્લા ચાર કલાકથી ચાલી રહેલી આતંક વચ્ચે મુંબઈ પોલીસ જવાનો નવ આતંકવાદીઓને પકડવામાં સફળ રહ્યાં હતા - આ છે ભાસ્કર ગ્રુપ અખબારોમાં પ્રસિધ્ધ સમાચાર.

દસથી વધુ સશસ્ત્ર આતંકવાદીઓએ તાજ હોટેલ પર કબજો જમાવ્યો

ગુજરાતી છાપુ હિન્દી સમાચારોને પણ કોપિપેસ્ટિંગ કર્યા !! ( कमांडो कार्रवाई के जरिए ओबरॉय होटल से 30 बंधकों को छुड़ा लिया गया है। वहां मुठभेड़ जारी है। नरीमन हा)


આવા બીજા કેટલાય નર્યા જૂઠાણા ટીઆરપીની લ્હાયમાં વેંચાય છે. સમાચાર સંસ્થા એ પોતે જ એક પાવર હોવો ઘટે. કોઈ આલિયો-માલિયો રાજકારણી કંઈ પણ બોલે, શું છાપવું એ તો સમાચાર સંસ્થાએ જ નક્કી કરવું રહ્યુ અને એમાથી જ એ ચેનલ કે છાપાની શોભા દીપી ઉઠશે. ન્યૂયોર્ક ટાઈમ્સની શોભા દુનિયાભરમાં આવી વિશ્વ્નિયતાથી ઉભી થયેલી છે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા (છાપુ, ચેનલ નહિં) મહદ અંશે સચ્ચાઈ રજુ કરવામાં સફળ રહ્યુ છતા એક હેલ્પલાઈન ચાલુ કરી મોટી સેવા કરી શક્યુ હોત. પણ સનસનાટી ફેલાવવી આપણે ત્યાં ખુબ સસ્તી છે. ૧૫-૨૦ હજારના પગારે આવું કરવાવાળા જોઈએ એટલા મળે છે, માલિકોને આ જ જોઈએ છે. એક રિપોર્ટમાં કોઈકે લખ્યુ પણ ખરુ કે હોટેલોનુ નજિકથી કવરેજ લોકલ ભાષાકીય સમાચાર સંસ્થાઓ આપ્તી હતી, અંગ્રેજી મીડીયાવાળા દૂર ઉભા રહી કવરેજ કરતા હતા.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાએ લખ્યુ કે અમારી સાઈટ પર એક મિલિયન હિટસ નોંધાઈ! આ કોઈ સમરાંગણ વાખતે લખવાના News ન્હોતા!

એક ફોરેઈન સમાચારપત્રમાં ખરુ કહ્યુ છે, ભારતમાં સરકારની સાથે સાથે મીડિયાની પણ આ પરિક્ષા છે ! આટલી મોટી હોનારત ચેનલોના આવા આક્ર્મણ પછી બની નથી, એટલે કેવી રીતે પરિસ્થિતિનો જવાબ આપવો એ નવું હતું. વેલ ઘણા છાપા-ચેનલો વર્ષોથી ચાલે છે પણ પહેલા કયારેય આટલી સ્પર્ધા ન હતી. એટલે બધા 'ઘાંઘા' થઈ ગયેલા દેખાતા હતા.

Most of the Indian television news channels have been around for less than five years. For some, the Mumbai siege, which began Wednesday night, was the first major event they had covered live, and they rushed to provide nonstop coverage to the riveted national audience.

Viewers’ feedback on coverage of the siege has been uneven. While millions of viewers remained glued to their screens for the latest information, some criticized the coverage in their blogs — irritated with the hyperbole and melodramatic rhetoric of some TV reporters.

From World Street Journal.


દિવ્ય ભાસ્કર સાઈટ પોણી રાત સુધી અપડેટ થતી હતી (ગુડ સ્ટાર્ટ..) પણ ઉપર આપેલા માત્ર થોડાક ઉદાહરણોથી ક્વોલિટી ના સમજાય હોય તો જ નવાઈ! આપણે ત્યાં ક્વોન્ટિટીની ડિમાન્ડ વધુ લાગે છે અને ગુણવત્તાને ગોળી વાગી ગઈ છે! ન્યૂયોર્ક ટાઈમ્સ જેવા માધ્યમોમાં એક આર્ટિકલ ૩-૪-૫ પત્રકારો ભેગા થઈ લખે છે, અને આપણે ત્યાં એક પત્રકાર ૩૦ 'આઈટમો' લખ્તો લાગે છે! સ્ટોરી અને આઈટમ સોન્ગ વચ્ચે દેખીતો ફેર હોય છે! જુઓ ઊદાહરણ -
India Acknowledges Errors in Security Response to Attacks

Somini Sengupta reported from Mumbai, India, and Jane Perlez from Islamabad. Reporting was contributed by Robert F. Worth and Jeremy Kahn from Mumbai; Hari Kumar from New Delhi; Salman Masood from Islamabad; Eric Schmitt from Washington; and Graham Bowley from New York.

અને આર્ટિકલમાં આપેલ ફોટો પણ જુઓ અને કયાં આપણા સમાચારપત્રોના ફોટા? આ સાઈટ સર્ચ કરી જુઓ મુંબઈ પર સર્ચ કરો, કેટલાય સમાચારો મળશે. દરેક સમાચારમાં એક-બે-ત્રણ ફોટા હશે પણ કયાંય લાલ લોહિ નહીં!!

આપણા છાપાઓ મન ફાવે ત્યારે જુની પડેલી સકારાત્મક અભિગમના લેખો ઠોક્યે રાખે છે, પણ તેઓ કયારેય વાંચે છે ખરા ? જૂઓ કેટલાક ઉદાહરણો..

For Heroes of Mumbai, Terror Was a Call to Action

આ Vishnu Datta Ram Zendeની સ્ટોરી વાંચો ખબર પડશે મોતને હથેળી પર લઈ આ માણસે કેટલાને બચાવ્યા હશે. હોટલોના સ્ટાફે કેટલાય જાન બચાવ્યા છે. આ બધા હિરોઝની વાતો છાપવામાં આપણા છાપાને કોણ રોકે છે ? જાહેરાતો ? મોદીની મીડિયાલક્ષી બે વાતોને ગોળી મારી આ છાપો, એમા છાપાની શાન છે. મોદી હોટલની નીચે પત્રકારોનું ટોળુ ભેગુ કરે એમા કોઈ જવાનોને કે કમાન્ડોનો પાનો ચડે એ વાતમાં કોઈ માલ નથી. ઉલ્ટાની આ લોકો ગીરદી કરે છે અને એ પણ આવા નાજૂક સમયે. આમની સિક્યોરીટીનો બોઝ, જાણે પેલા ત્રાસવાદીઓનો બૉઝ ઓછો હોય તેમ. પણ આ રાજકારણીઓને માથે ચૂંટણી દેખાઈ રહી છે એટલે બધા નાટકો થાશે.

એક નાનો સરખો બ્લોગે કેટલાયને મદદ કરી હતી અને એની નોંધ ફોરેઈન મીડિયામાં પણ છપાણી. આ બ્લોગ પરની કોમેન્ટસ વાંચો બોસ, આખ્ખે આખ્ખી રાત લોકો માહિતી મેળવવા અને સ્વજનો સુધી પહોંચાડવા ઝઝુમ્યા હતા. તો પછી આપણા મીડિયાએ ધાર્યુ હોત તો ઘણી મોટી સેવા કરી શક્યા હોત, પણ ..

એનિવે, લોકોનો આક્રોશ ટોચ પર છે અને સત્તાના સમીકરણો જરુર આવતી ચૂંટણીમાં બદલાશે. ( પ્રભુ ચાવલા કહે છે, બાબરી ધ્વંશ કરતા પણ મોટી અસર આ ચૂંટણીમાં આ ટેરર ઍટેકની થશે.) છતા પણ એ કહેવું અતિશ્યોકિત ભરેલું હશે કે બીજો કોઈ હૂમલો નહીં થાય.

મિત્રો, ખુબ ઝડપથી અને ઓછા સમયમાં આ બ્લોગ લખેલ છે એટલે ઘણી ભૂલો અને રફ ભાષામાં લખાયો છે, દરગુજર કરશો. પણ મારે જે કહેવાનું હતુ એ તો બરાબર જ કહેવાયુ છે!

સેલ્યુટ ફ્રોમ માય ડીપેસ્ટ હાર્ટ ટૂ ધ સોલ્જર્સ એન ધ પિપલ ઑવ અર નેશન વુ હેલ્પડ પિપલ વ્હેન થેય વ'ર ઈન નીડ ઑફ. જય હિન્દ.

Tuesday, November 25, 2008

મારું લગ્નજીવન

રિદ્ધિ દેસાઈ

એક સવારે એને ગુલાબી ઊંઘમાંથી ઉઠાડવામાં આવી.
એય… ઊઠ… ચા મૂક…
શું છે ! હું ચા નથી પીતી….
બીજી સવાર –
એય… ઊઠ… ચા મૂક….
હું ચા નથી પીતી યાર !
મારી માટે તો મૂક….
ચામાં ખાંડની જગ્યાએ ચમચી ભરીને મીઠું નાખવામાં આવ્યું.
એ પછી એને ક્યારેય સવારે ઊઠાડવામાં ન આવી.

એક સુંદર લઘુકથાનો આભાસ આપતી ઉક્ત ઘટના એ કોઈ કથા-બથા નથી, સત્ય છે. કોના લગ્નજીવનનું, એ તમે સમજી ગયા હશો. પુરાણોમાં પણ સાઉથ ઈન્ડિયનને પરણવાના અનેક ફાયદાઓ વર્ણવાયા છે. પ્રજા મહેનતકશ છે. એય એટલે સુધી કે એને ફીફાં ખાંડવા આપો તોય પૂરી મહેનત અને લગનથી ખાંડે ! મેનન (મારા પતિ) રોટલી એમના મોઢા જેવી (કાળમીંઢ અને ઘાટ વગરની) બનાવે. પણ ઈડલી-ઢોસા-સાંભારમાં કોઈ એમનો હાથ પકડી શકે નહીં. (હાથ પકડે તો એ બનાવે શી રીતે ?) આઠ-દસ બહેનપણીઓને જમવા બોલાવી હોય તો સમાજમાં ઈજ્જત વધે. ઈજ્જત જ નહીં, મારે તો શાંતિય જબ્બર વધી છે, કેમ કે જીવનમાં ‘સાસુ’ નામનું પાત્ર જ નથી ! ‘નથી’ એટલે મારી સાસુ અલ્લાહને પ્યારી થઈ ગઈ છે એવું નથી. (એ તો હજી મારા સસરાનેય પ્યારી થઈ શકી નથી) અમે પતિ-પત્ની વિદેશમાં વસ્યાં છીએ અને એ જમીન-સંપત્તિની દેખરેખ માટે ભારતમાં જ રહ્યાં છે. કહેનારે ખરું કહ્યું છે – ધન-દોલત માણસને પોતાના માણસથી અળગા કરી નાખે છે…. હાશ !

લગ્નજીવનની શરૂઆતમાં તમે નોંધ્યું હશે કે દરેક પતિ કલ્પવૃક્ષ જેવો હોય છે. એ ઘરની ચાદરથી લઈને પ્રાણ સુધીનું બધું પાથરી દેવા તૈયાર હોય છે. પણ મારે મન ચાદર કરતાં દેશ વધુ મહત્વનો એટલે લગ્નની પ્રથમ રાત્રિએ જ મેં દેશપ્રેમનો ઝંડો ફરકાવેલો – ‘જુઓ, આજની ભયંકર પરિસ્થિતિ જોતાં દેશની વસતિમાં વધારો કરવો એ દેશદ્રોહ જ ગણાય ! યુનો, અમારા વાઈબ્રન્ટ ગુજરાતમાં એક નારો અત્યંત બુલંદ થયો છે – નહીં બાળ, જયગોપાળ !’
‘એટલે ?’
‘એટલે કે જે બાળ-બચ્ચાંની માયામાં પડતો નથી એનો સ્વયં ગોપાળકૃષ્ણ જયજયકાર કરે છે…. એવા મનુષ્યો શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે….’ પણ ભેંસ આગળ ભગતસિંહ, કે મારાથી ઈમ્પ્રેસ થવાને બદલે એ ખડખડાટ હસવા માંડેલા. આ તો ઓશીકું અને ચાદર લઈને મેં ચાલતી પકડેલી, એમાં એ દ્રવી ગયેલા – ‘ઓ.કે. તું કહીશ એમ જ થશે, બસ !’

પ્રેમલગ્નની આ જ નિરાંત છે. એકબીજા સમક્ષ ખૂલીને વ્યક્ત થઈ શકાય છે. પણ લગ્નજીવનમાં જેમ જેમ અમે વધારે ખૂલતાં ગયાં એમ એમ સમજાતું ગયું કે દેહરચના ઉપરાંત અમારા વિચારો, સ્વભાવ, ટેવ, ટેસ્ટ, શોખ-બોખ બધું જ સાલું અલગ છે ! (આ નભ ઝૂકયું તે કાનજી ને પાતાળલોક તે રાધા રે !) કોઈ પણ નોર્મલ માણસ હોય તો એ પથારી અથવા છત્રપલંગ પર સૂએ. વધુ સુખ જોઈતું હોય તો પલંગ પર મખમલની ચાદરબાદર બિછાવે. પણ મારા એમને તદ્દન લીચડ અને મુફલિસ જેવો – અર્થાત લીલા ઘાસ પર સૂવાનો શોખ ! નવરા પડે એટલે એ તો ભોંયભેગા થાય, ને મનેય હેરાન કરે – ‘ચાલને, ઘાસ પર સૂતાં સૂતાં વાદળોને જોઈએ !’ એટલે મારી સણકે. ‘કેમ ? વાદળમાં ઉમરાવજાનનો મુજરો ચાલે છે ? અમારે ત્યાં તો લુખ્ખાઓ જ ઘાસ પર સુએ. બપોરે બગીચામાં ડોકિયું કરો તો ઠેર ઠેર જોવા મળે !’ એમની ટેવો જ સાવ જુદા પ્રકારની.

લગ્નને વરસ પણ વીત્યું નહોતું ને એ ગલત દોસ્તોની સોબતમાં શાસ્ત્રીય સંગીતના રવાડે ચડી ગયેલા. કોઈ ગમે એટલો દંભ કરે પણ એ હકીકત છે કે શાસ્ત્રીય સંગીત દસ મિનિટથી વધારે સાંભળી શકાતું નથી. માથું ભમી જાય છે ! એમાં અમારે ત્યાં તો સવાર સવારમાં ભીમસેન (જોશી)ની ગદાના પ્રહારો શરૂ થઈ જતા (ગદા=સંગીત). એમની પાછળ સુબ્બુલક્ષ્મી અને પરવીનબેન સુલતાના કછોટો વાળીને તૈયાર ઊભાં હોય ! એ પછી વીણાવાદનનો મૂઢમાર શરૂ થઈ જાય ! મા શારદાના સોગન, મહામુસીબતે એમને આ બૂરી લતમાંથી ઉગારેલા.

ટૂંકમાં કહું તો એમનામાં સજ્જન માણસોનું એકપણ લક્ષણ નહીં, એટલે અમારે તો સવારના પહોરથી જ ટંટા શરૂ થઈ જતા. એક તો લાટસાહેબને રોજ નાહવા જોઈએ. એટલું ઓછું હોય એમ નાહીને એ સૂર્યની સામે લોટો ભરીને પાણી ઢોળી દે. મારાથી એ બરદાશ થાય નહીં એટલે હું એમને ટોકતી : ‘ડુ યુ નો ? ગાંધીજી ફક્ત ત્રણ લોટા પાણી વડે નાહતા…’ ‘છી ! એમાં જ અંગ્રેજો ભારત છોડી ભાગી ગયેલા ?’ કોઈ ગાંધીબાપુની મશ્કરી કરે પછી હું ગુજરાતણ એને છોડું ? ઘરમાં ધમાધમી મચી જતી. ઘરેલું અસ્ત્ર-શસ્ત્રના પ્રહારો શરૂ થઈ જતા ! પરંતુ અહીં પણ એમની ધીટતા છાપરે ચડીને પોકારતી. કઠોર પરિશ્રમ કરીને હું રેડિયો, ટેપરેકોર્ડર, ખુરશી, ટેબલ, દળદાર પુસ્તકો વગેરેનો પ્રહાર કરતી અને સામે પક્ષે એ પેન, પેન્સિલ, રબર કે સિગારેટનું ખોખું જ મારતા ! કામચોરીની બી કોઈ હદ હોય કે નહીં ? શીટ્ !

આમ અમારા વિચારોમાં સખત અને સતત મતભેદ. છતાંય એક નિયમ અમે જીવનભર પાડ્યો છે. ભાણે જમવા બેસીએ એટલે બધા ડિફરન્સો ભૂલી જવાના. અલબત્ત, અમારા બંનેના ભોજનનો પ્રકાર અલગ. મારા ‘એ’ ઘાસ-ફૂસ ખાનારા, જ્યારે મને તો પકવાનો વગર ન ચાલે. છતાં ભોજન આરોગતા હોઈએ ત્યારે મા અન્નપૂર્ણાને સન્મુખ રાખીને અમે એકબીજાને પૂરો સાથ-સહકાર આપીએ.

સંસાર તો પંખીનો માળો છે ભૈ. બે વાસણ ભેગાં થાય તો ખખડે-ટિચાય-ગોબાય-પતરુંબતરું ફાટીય જાય. પણ એનો મતલબ એ નથી કે અમારી વચ્ચે પ્રેમ નથી. તપેલીમાં તપેલી અને પ્યાલામાં પ્યાલો ગોઠવાયો હોય એમ અમે એકબીજામાં હળીમળી જઈએ છીએ; સમાઈ જઈએ છીએ. અમને જોઈને કોઈને કલ્પનાય ના આવે કે હજી અડધા કલાક પહેલાં જ મેં એમને ‘લોકસંસ્કૃતિમાં પશુઓ’ ગ્રંથ છૂટ્ટો માર્યો હશે….. બાય ધ વે, અમારે ઘેર રહી ચૂકેલા ઘણા મહેમાનોએ અમને પૂછ્યું છે : ‘આ લોકસંસ્કૃતિમાં પશુઓ એટલે….. (તમે બે ?)’

Source: ReadGujarati.com

ચાવીને ચાવી શકાતી નથી!


મારા ભાઈ-ભાભી રાજકોટ રહે છે. આવી મોંઘવારીમાં પણ બંનેને બેય ટાઇમ જમવા જોઈએ છે. એટલે બંને સર્વિસ કરે છે! એમનો દીકરો-દીકરી કોલેજમાં ભણે. ચારમાંથી કોણ ગુલ્લી મારીને વહેલું ધેર આવી જાય એ નક્કી ન હોય તેથી એ લોકો તાળું મારીને ચાવી કંપાઉન્ડમાં રાખેલા કૂંડામાં ખોસી દે! જોકે કૂંડામાં ખોસવા છતાં ચાવી કયારેય ઊગીને એકની બે નહોતી થઈ! કૂંડાના ખાતરમાં ખામી... બીજું શું?!

એક વાર એવું થયું કે એમની દીકરી અમીષા વહેલી અને પહેલી ઘરે આવી. એણે ચાવી લેવા રાબેતા મુજબ કૂંડામાં હાથ નાખ્યો. પણ ચાવી નહોતી. એને થયું કે મમ્મીએ કદાચ પડોશીને ચાવી આપી હશે. એટલે એણે બાજુવાળાને પૂછ્યું કે, ‘મમ્મી ચાવી આપી ગઈ છે?!’ તો પડોશી કહે, ‘ના રે... પણ કેમ, ચાવી કૂંડામાં નથી?!’ અમીષાએ સોસાયટીમાં બીજા ધેર, ત્રીજા ધેર, પૂછપરછ કરી તો એમણેય એવું જ પૂછ્યું કે, ‘કેમ, કૂંડામાં નથી?’ આમ અડધી સોસાયટીને ખબર હતી કે આ લોકો ચાવી કૂંડામાં રાખે છે! ફકત આ લોકોને જ નહોતી ખબર કે પડોશીઓ એમની ચાવીને ‘ચાવી’ જાણે છે!

આપણે ઘરને જો રેઢું મૂકીએ તો લોકોને ખ્યાલ આવી જાય કે આમના ઘરમાં ગાભા જેવા પાર્ટીવેર, એલ્યુમિનિયમના ઠોંચરા અને પ્લાસ્ટિકના ઘરેણાં સવિાય કશું છે નહીં. એટલે આપણી પાસે કીમતી વસ્તુઓ છે તેવો ભ્રમ ઊભો કરવા જ આપણે ઘરને તાળું મારીએ છીએ અને પૈસાદાર છીએ એવો રૂઆબ છાંટવા જ ચાવી પડોશીને જ આપીએ છીએ!! બીજું કે આપણે અમદાવાદ રહેતા હોઈએ અને સગાં સુરેન્દ્રનગર રહેતાં હોય તો રોજેરોજ ચાવી આપવા સુરેન્દ્રનગર ન જવાય ને? અને એટલે જ ચાવી પડોશીને જ આપવી પડે. ત્

ોથી પડોશીઓને મસકો મારવા જ ‘પહેલો સગો પડોશી’ એવું સૂત્ર તરતું મુકાયું છે. આમેય પડોશીનો ઉપયોગ મોટે ભાગે ચાવી આપવા માટે જ થાય છે. છતાં કેટલાક પોતાની ચાવી પડોશીને આપવાને બદલે કૂંડામાં કે બારણાની બહાર બનાવેલા ગણપતિના ગોખલામાં રાખે છે. એનું કારણ જણાવતાં મૂળચંદ કહે છે કે અમારા બધાં સગાં દગાખોર નીકળ્યા છે. અને પડોશીને પાછો પહેલો સગો કીધો છે. ઐટલે અમે પડોશીને ચાવી આપતાં ગભરાતા હોઈએ છીએ!

તાળું મારવું જેટલું સહેલું છે એટલું જ ચાવી સાચવવું અઘરું છે. ઘરમાં જેટલા સભ્યો હોય એટલી સંખ્યામાં ચાવી બનાવડાવી બધા પાસે એક એક ચાવી રાખવી. આ વિકલ્પ પણ લાગે છે એટલો સહેલો નથી. કારણ કે કયારેક એકાદ સભ્ય ચાવી રાખેલું પર્સ કે પેન્ટ ધેર જ ભૂલી જાય એવું બને! એટલે બધાની ચાવી બનાવડાવો તોય પડોશીને આપવા માટે તો એક બનાવડાવવી જ પડે! એટલે જ કહું છું કે ‘આપણી ચાવી’ પડોશીના હાથમાં ભલેને રહી!!

ચાવી એ ચાવી હોવા છતાં એને ‘ચાવી’ શકાતી નથી એ ચમત્કાર નહીં તો બીજું શું? અને કદાચ એકવાર ચાવી પણ જાવ તો એને પેટમાંથી પાછી લાવી શકાતી નથી. એટલે ચાવીને અન્ય રીતે જ ચોરનજરથી બચાવી લેવી ઘટે!

છમ્મવડું : ‘આપણે પડોશીને રોજ ચાવી આપીએ છીએ છતાં તેઓ કેમ આપણા ઘરમાંથી કંઈ ચોરી નથી જતાં?’ ‘કારણ કે એમના ઘરની ચાવી આપણા હાથમાં હોય છે!’

Source: DivyaBhaskar.co.in

Sunday, November 23, 2008

એક પટેલની આત્મકથા

એક પટેલની આત્મકથા ! – સુધીર શાહ

મિનેશ જશભાઈ પટેલ દસમી ફેઈલ છે. એની ઉંમર ફક્ત 24 વર્ષની છે. પણ સુરત નજીક આવેલા એના ગામમાં જો કોઈને પણ અમેરિકાના ઈમિગ્રેશનને લગતો કોઈ પ્રશ્ન મુંઝવતો હોય તો તેઓ સુરત, નવસારી, બારડોલી, આણંદ, બરોડા, અમદાવાદ કે મુંબઈના વિઝા કન્સલટન્ટોને નહીં પણ મિનેશની સલાહ લે છે. મિનેશે 24 વર્ષની ટૂંકી જિંદગીમાં અમેરિકાના ઈમિગ્રેશનની લાંબી સફર ખેડી છે. કેવી રીતે ? ચાલો જોઈએ….

નાનો હતો, માંડ ચાર કે પાંચ વર્ષનો, ત્યારે એની ફઈએ એમનું ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ દાખલ કરાયેલું ઈમિગ્રન્ટ વિઝાનું પિટિશન કરંટ થતા, મિનેશનું નામ પોતાના દીકરા તરીકે એમના પિટિશનમાં ઘુસાડ્યું હતું ! કોન્સ્યુલર ઑફિસરને વહેમ આવતા એણે મિનેશની ફઈને એનો અને મિનેશનો ડી.એન.એ. ટેસ્ટ કરવા જણાવ્યું હતું. જો આ ટેસ્ટ કરાવે તો પોલ પકડાઈ જાય એટલે એની ફઈએ એમ કરવાનું ટાળ્યું હતું. મિનેશના સદભાગ્યે એ જમાનામાં વિઝાની દરેક અરજીઓ કોમ્પ્યુટરમાં રેકોર્ડ કરવામાં આવતી ન હોવાથી મિનેશ એની ફઈનો છોકરો છે એવો રેકોર્ડ અમેરિકન કોન્સ્યુલેટમાં રહ્યો ન હતો. એ પછી તે દસ વર્ષની ઉંમરનો થયો ત્યારે મિનેશના પિતાએ અમેરિકી વિઝિટર્સ વિઝાની અરજી કરી હતી અને સાથે સાથે આખા કુટુંબની પણ વિઝિટર્સ વિઝાની અરજી કરી હતી. આખા કુટુંબની એ અરજી નામંજૂર કરવામાં આવી હતી. એ પછી મિનેશની માએ એ પોતે એક મંદિરમાં વર્ષોથી પૂજાપાઠ કરાવે છે એવું જણાવીને આર-1 વિઝાની અરજી કરી હતી અને પોતાના ડિપેન્ડન્ટ તરીકે મિનેશ અને એના પિતાની આર-2 વિઝાની અરજી કરી હતી. એક પટેલ પુજારી કેવી રીતે હોઈ શકે એવું જણાવીને આ અરજીઓ નકારવામાં આવી હતી.

ત્યારબાદ મિનેશના પિતાએ એક નાટક ભજવનાર મંડળીમાં જોડાઈને અમેરિકા નાટક ભજવવા જવું છે એમ જણાવીને પી-3 વિઝાની અરજી કરી હતી અને પોતાની સાથે સાથે મિનેશ અને એની માતાએ પી-4 વિઝાની અરજી કરી હતી. કોન્સ્યુલર ઑફિસરે મિનેશના પિતાને જ્યારે નાટકમાંનો એમનો રોલ ભજવી બતાવવાં કહ્યું ત્યારે મોઢા પર કોઈ પ્રકારના ભાવ દર્શાવી ન શકવાના કારણે તેમજ ડાયલોગ સરખી રાતે ઉચ્ચારી ન શકવાને કારણે, ‘તમે એકટર નથી’ એમ કહીને એમની અને સાથે સાથે મિનેશ અને એની માની અરજી પણ ફગાવી દીધી હતી. એ પછી મિનેશના કાકા જેઓ અમેરિકન સિટિઝન હતા એમણે મિનેશને દત્તક લેવાનો પ્લાન ઘડ્યો હતો પણ એમને પોતાના બે બાળકો હતા અને તેઓ મિનેશ આગળ ભારતમાં બે વર્ષ રહી શકે એમ નહોતા. આથી એમને જણાવવામાં આવ્યું હતું કે તેઓ મિનેશને હિન્દુ ધર્મના કાયદા હેઠળ દત્તક લઈ ન શકે.


એ પછી મિનેશના પિતાએ મેક્સિકોની સરહદથી ભોંયરું ખોદીને અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરી હતી. પણ જેવા તેઓ અમેરિકાની સરહદની અંદર ભોયરામાં બહાર નીકળ્યા કે એમની ધરપકડ કરવામાં આવી હતી. પણ સારા નસીબે એમને ફક્ત બેચાર દંડા મારીને અમેરિકાની બોર્ડર પોલિસે ફરી પાછા મેક્સિકોમાં ધકેલી મુક્યા હતા. હવે આ દરમિયાન મિનેશ અઢાર વર્ષનો થઈ ચૂક્યો હતો અને દસમી ફેલ હોવા છતાં બોગસ સર્ટિફિકેટો અને માર્કશીટ મેળવીને અમેરિકાની એક કમ્યુનિટી કૉલેજમાં બેચલરનો કોર્સ કરવા માટે એડમિશન મેળવી લીધું હતું પણ ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓની જેમ જ મિનેશને અંગ્રેજી બોલવાના ફાં ફાં હતા. આથી, ‘અંગ્રેજીમાં અપાતુ શિક્ષણ તું કેવી રીતે ગ્રહણ કરી શકીશ ?’ એમ કહીને કોન્સ્યુલર ઑફિસરે મિનેશની સ્ટુન્ડ વિઝાની અરજી નામંજૂર કરી હતી. મિનેશ ત્યારબાદ થોડા વધુ બોગસ સર્ટિફિકેટો મેળવીને પોતે સ્નાતક છે એમ જણાવીને એના એક અમેરિકન સખાવતી એચ-1બી વિઝા માટેનું પિટિશન દાખલ કરાવ્યું હતું પણ એ સ્વીકારાયું જ ન હતું.

બ્રહ્માસ્ત્ર તરીકે મિનેશે ત્યારબાદ અમેરિકન નાગરિક જોડે લગ્ન કરીને અમેરિકામાં પ્રવેશવાનું વિચાર્યું હતું. પણ એના કમનસીબે એને એની ઉંમરની કોઈ નિર્દોષ ડિર્વોસી જડતી ન હતી અને કુંવારી અમેરિકન સિટિઝન કન્યા એની જોડે લગ્ન કરવા તૈયાર નહોતી ! આખરે મિનેશ પોતે હિન્દુ છે અને એના ગામની આજુબાજુ અન્ય ધર્મના વ્યક્તિઓની વસ્તી વધુ છે આથી પોતાની સલામતી જોખમાં છે એવું જણાવીને અમેરિકામાં રાજકીય આશરો મેળવવા અરજી કરી છે. એના ઉપરના નિર્ણયની મિનેશ વાટ જુએ છે. મોટા ભાગે તો એ અરજી પણ નકારાશે અને જો એમ થશે તો મિનેશ કેનેડાની બોર્ડર ઉપરથી અમેરિકામાં ઘુસવાનો પ્લાન ઘડ્યો છે !!

આટઆટલી વિઝાની અરજીઓ કરતા મિનેશને અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાની પૂરેપૂરી જાણકારી મળી છે. એણે લગ્ન નથી કર્યા પણ જાનમાં તો એ વારંવાર ગયો છે ! ઈમિગ્રેશનના કાયદાની છટકબારીઓ એ બરાબર જાણે છે અને કોન્સ્યુલર ઑફિસરોનો સ્વભાવ અને વર્તનથી એ અત્યંત વાકેફ થઈ ગયો છે. આથી જ એના ગામ જ્યાના લગભગ દરેકે દરેક ઘરમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ અમેરિકામાં રહે છે, ત્યાંના લોકો અમેરિકાના ઈમિગ્રેશનને લગતા એમના કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ મિનેશ આગળ શોધે છે. મિનેશ જાત અનુભવ ઉપરથી એ વિષયમાં ખાં બની ગયો છે અને કોઈપણ હોશિયાર ઈમિગ્રેશન એડવોકેટને જાણ ન હોય એ સર્વે બાબતોની એને જાણ છે. એ વાત જુદી છે કે, જો તમે મિનેશ આગળ અમેરિકાના ઈમિગ્રેશનને લગતો કોઈ પ્રશ્ન લઈને જશો તો મિનેશ તમને ખોટું કરવાની જ સલાહ આપશે અને આથી તમારા વિઝા મેળવવાના સંજોગો ઘટી જશે ! (‘મુંબઈ સમાચાર’ માંથી સાભાર.)

Source: ReadGujarati.com

Wednesday, November 19, 2008

આદિલ મન્સૂરી: શબ્દાંજલી




આ-દિલ, હજુ હમણાં તો સાંભળ્યા'તા..
હસતા'તા, થોડી નારાજગી દેખાતી'તી..
હા, ઉંમર વરતાતી'તી - પણ શબ્દોમાં નહિં
એ જ મિજાજ, ખુમારી, ખુદ્દારી..
અને અચાનક...
પણ,
તમે સાચા ઠર્યા,
આપ કેતા'તા - મળે ના મળે
હું સમજ્યો શહેર
માલૂમ નહિં
આપે કીધૂ હોય કદાચ,
શાહેદ...

(શાહેદ.: સાક્ષી, હાજરી)

_____________


અહિં પ્રસ્તુત કવિતા આદિલ સાહેબના હસ્તાક્ષરમાં... અને એ પણ એમના જિંદગીના એક નિષ્ઠૂર પ્રસંગે લખાયેલ યાદગાર કબૂલાત. (સાભારઃ ઘનશ્યામ ઠક્કરના બ્લોગ પરથી)

Tuesday, November 18, 2008

શું લખી મોક્લું તને ?


~
તને શું લખીને મોકલું?
તારા માટે શબ્દો એકઠાં કરું છું,
ને પછી સરખાવવાની કોશીશ કરું છું ત્યાં તો તે શબ્દો તારી સાથે જ એકરૂપ થઈ જાય છે પછી નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે,
કે શબ્દો વડે કવિતા રચાય છે,
કે કવિતા શબ્દોમાં પરોવાઈ ગઈ છે?
બોલ તું જ કહે તને શું લખીને મોકલું?

ભીનાં-ભીનાં વરસાદમાં પલળતાં-પલળતાં,
પીધેલી ચાના સીસકારા મોકલું કે,
અડધી રાતે ઠંડીમાં ઠૂંઠવાતાં,
એક જ ચાદરમાં અડધા-અડધા વહેંચાયેલા હૂંફના સથવારા મોકલુ?
યાદ છે? ધોમધખતા તડકામાં સાથે ચાલતાં-ચાલતાં
મળીને ગાયેલાં ગીતોનાં છાંયડા ને,
“He loves me, he loves me not” કરતાં-કરતાં
ઝાડની ડાળખીનાં ટૂટેલાં પાંદડાં મોકલું?

નાની અમસ્તી વાતને મોટું સ્વરૂપ આપીને
અમસ્તાં-અમસ્તાં કરેલાં ઝગડા મોકલું,
કે ગાલ પર અચાનક જ ફૂટી નીકળેલા ખીલને મટાડવા
સાથે મળીને લગાડેલા ક્રિમના લપેડા મોકલું?

અડધી ચૉકલેટ અને એનાંય અડધા ભાગ
હજીય સાચવી રાખેલાં એના ચમકતાં કાગળીયાં મોકલું,
કે “બહુ વાંચવાનું બાકી છે” એમ કહીને છેક આંખો લગી
આવી ગયેલાં ઝળઝળીયાં મોકલું?

એકબીજાને ઉઠાડવા માટે મૉડીરાત સુધી જાગીને
પરાણે કરેલાં ઉજાગરા મોકલું, કે પછી
ચાંદની રાતે અગાશીમાં બેસીને તારાઓ
ગણતાં-ગણતાં સાથે કરેલાં લાગણીનાં લવારાઓ મોકલું?

કારણ વગર હસ્યા જ કરવાનું ને પછી
હસતાં-હસતાં આંખો ભરાઈ આવે એટલે આંસુને છુપાવવાના બહાનાં મોકલું,
કે libraryમાં સાથે મળીને વાંચતાં ત્યારે
“ઈડલી ખાવા ક્યારે જઈશું?” એની રાહ જોતાં-જોતાં
વગર-વાંચ્યે જ ફાટી ગયેલા પુસ્તકનાં પાનાં મોકલું?

કેટલાંય સપનાંઓની આપ-લે,
એમાં રંગો પૂરવાનો અનેરો આનંદ,
છતાંય કોઈક ખૂણે રંગો ફિક્કા પડી જવાનો ડર, બોલ, તને પ્રેમથી સમજાવેલા કેટલા કિસ્સા મોકલું?
આજે તું શમણાંના વેરવિખેર ઢગલાને
એકઠા કરીને પરિશ્રમથી સિંચીને
નવું સ્વરૂપ આપવા જઈ રહી છો ત્યારે
બસ, ‘સ્વયં’ ના હૃદયની શુભેચ્છાઓ મોકલું, તને બીજું શું લખીને મોકલું?

આ કવિતાના કવિ મને માલૂમ નથી, પણ કવિતા ગમે છે જો કોઈ વાંચકને જાણ હોય તો કોમેન્ટ મૂકવા વિનંતી.

આભાર મનીષભાઈ મિસ્ત્રીનો, આ કવિતાને નેટસ્થ કરવા બદલ! કંઠસ્થ નહિં નેટસ્થ.. ધીમે ધીમે આ શબ્દ પ્રચલિત થઈ રહ્યો છે !

Friday, November 14, 2008

ચંદ્રયાન-૧ની સફળ યાત્રા



આપણે ચંદ્ર પર પગલા પાડી દીધા છે! અને ત્યાં પણ થોડા (૧૦૦-૨૦૦ વર્ષોમાં) સમયમાં 'લિટલ ઈન્ડિયા' જોવા ના મળે તો નવાઈ! તમે ઘણા છાપાઓમાં વાંચ્યુ હશે કે આપણો તિરંગો હવે ચાંદામામા પર લહેરાયો વગેરે.. પણ હકીકત થોડી જુદી છે. ઇમ્પૅકટ પ્રોબની સપાટી પર રંગેલો આપણો ધ્વજ ભાગ્યે જ 'ધ્વજ'ની હાલતમાં હશે. જ્યારે આ ઇમ્પૅકટ પ્રોબ ચંદ્રની સપાટી પર ધસ્યુ ( સ્પર્શ નહિં, ૫૪૦૦ કિ.મિ. પ્રતિ કલાકની રફતારથી કોઈ પદાર્થ કોઈ સપાટીને સ્પર્શી શકે નહિ!!) એટલે સ્વાભાવિકપણે ઈમ્પૅકટ પ્રોબની બોડિ પર ઈમ્પૅકટ થાય અને માટે એનો શેપ પણ બદલાય અને ટૂકડા પણ ઊડે (યાદ છે કોલંબિયા શટલની ટાઈલ્સ.. ?) એટલે આપણા ધ્વજનો આકાર કે સંપૂર્ણતા વિષે સાયન્ટીસ્ટસ પણ કશુ કહી શકે તેમ નથી, પણ મીડિયાનો આ રાગ આપણી દેશદાઝ વધારે છે એટલે કોઈ નુકશાન નથી, ઘી ખીચડીમાં છે ત્યાં સુધી!
Image and Input Source: The Telegraph

Tuesday, November 11, 2008

US Visa Bulletin December 2008

Fam-ily All Charge- ability Areas Except Those Listed CHINA-mainland born INDIA MEXICO PHILIPP
1st
22MAY02
22MAY02
22MAY02
22SEP92
01JUN93
2A
01APR04
01APR04
01APR04
01AUG01
01APR04
2B
15FEB00
15FEB00
15FEB00
01MAY92
15JUL97
3rd
22JUL00
22JUL00
22JUL00
01OCT92
15MAY91
4th
01JAN98
15JUL97
15SEP97
15FEB95
15APR86


All
Charge-ability
Areas
Except
Those
Listed

CHINA-
mainland born
INDIA MEXICO PHILIP
Employ-ment
-Based

1st C C C C C
2nd C 01JUN04 01JUN03 C C
3rd 01MAY05 01FEB02 01OCT01 01SEP02 01MAY05
Other
Workers
15JAN03 15JAN03 15JAN03 15JAN03 15JAN03
4th C C C C C
Certain Religious Workers C C C C C
5th C C C C C
Targeted Employ-ment Areas/
Regional Centers
C C C C C

Friday, October 31, 2008

Recalling Sony Batteries

U.S. Consumer Product Safety Commission

Office of Information and Public Affairs Washington, DC 20207

FOR IMMEDIATE RELEASE
October 30, 2008
Release #09-035

CPSC Recall Hotline: (800) 638-2772
CPSC Media Contact: Ed Kang, (301) 504-7908

PC Notebook Computer Batteries Recalled Due to Fire and Burn Hazard

WASHINGTON, D.C. - The U.S. Consumer Product Safety Commission, in cooperation with the firms named below, today announced a voluntary recall of the following consumer product. Consumers should stop using recalled products immediately unless otherwise instructed.

Name of Product: Lithium-Ion Batteries used in Hewlett-Packard, Toshiba and Dell Notebook Computers

Units: About 35,000 batteries (an additional 65,000 batteries were sold worldwide)

Battery Cell Manufacturer: Sony Energy Devices Corporation, of Japan

Hazard: These lithium-ion batteries can overheat, posing a fire and burn hazard to consumers.

Incidents/Injuries: There have been 19 reports of the batteries overheating, including 17 reports of flames/fire (10 resulting in minor property damage). Two consumers experienced minor burns.

Description: The recalled batteries were included with, and sold separately for use in, the following notebook computer models:

Computer ManufacturerUnitsNotebook ModelBattery Model
Hewlett-PackardAbout 32,000HP Pavilion: dv1000, dv8000 and zd8000
Compaq Presario: v2000 and v2400
HP Compaq: nc6110, nc6120, nc6140, nc6220, nc6230,
nx4800, nx4820, nx6110, nx6120, nx9600
Recalled batteries will have a bar code
label starting with A0, L0, L1 or GC
ToshibaAbout 3,000Satellite: A70/A75, P30/P5, M30X/M35X, M50/M55
Tecra: A3, A5, S2
n/a
DellAbout 150Latitude: 110L
Inspiron: 1100, 1150, 5100, 5150, 5160
OU091

The battery model is located on the battery’s label.

Sold by: Computers with the recalled batteries were sold directly by Hewlett-Packard, Toshiba and Dell, through computer and electronics stores nationwide, and through various Web retailers for between $700 and $3000. The batteries were also sold separately for between $100 and $160.

  • Hewlett-Packard – sold from December 2004 through June 2006


  • Toshiba – sold from April 2005 to October 2005


  • Dell – shipped between November 2004 and November 2005


Battery Cells Manufactured in: Japan

Remedy: Consumers should immediately remove the recalled battery from their notebook computer, and contact their computer manufacturer to determine if their battery is included in the recall and to request a free replacement battery. After removing the recalled battery from their notebook computer, consumers may use the AC adapter to power the computer until a replacement battery arrives. Consumers should only use batteries obtained from their computer manufacturer or an authorized reseller.

Consumer Contacts: For additional information, consumers should contact the manufacturer of their notebook computer:

  • Hewlett-Packard Co. – http://www.hp.com/support/BatteryReplacement or call (800) 889-2031 between 7 a.m. and 7 p.m. CT Monday through Friday.


  • Toshiba – http://www.bxinfo.toshiba.com or call (800) 457-7777 anytime.


  • Dell – http://www.dellbatteryprogram.com or call toll-free (866) 342-0011 between 8 a.m. and 5 p.m. CT Monday through Friday.
  • Thursday, October 30, 2008

    સરદાર પટેલ સેવા સમાજ

    છાપુ વાંચતા સ્મરણ થયુ અમારી હોસ્ટેલનું, જ્યાં લગભગ પોણા દસકા માટે રહેવાનું થયુ. દર વર્ષે સરદાર પટેલ જયંતિ જરુર ઉજવાય. કેડિલાવાળા (સ્વ.)રમણભાઈ પટેલની (સંસ્થાના મુખ્ય ટ્ર્સ્ટીના નાતે) હાજરી, સ્વામી સચ્ચિદાનંદનું પ્રવચન, એકાદ રાજકારણી જેવા કે દિનશા પટેલનું પ્રવચન, દૂરદર્શનના કેમેરામેનો, સંસ્થાના સભ્યો ( જે મોટા ભાગે જમવાના સમયે આવતા એટલે અમને સ્વામીજીને શાંતિથી સાંભળવા મળતા) અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ.. આ દર વરસનો ૩૧ ઑકટોબરનો ફિક્સ પ્રોગામ હતો. કયારેક અમે સરદાર પટેલ પરના પુસ્તકો વેંચવા પણ ઉભા રહેતાં. એકાદવાર સ્વામીજીએ ટકોર કરેલી કે તમે લોકો દર વર્ષે મને જ બોલાવ્યા કરો છો તો કયારેક બીજા કોઈને પણ તક આપો.. અને આ વર્ષે આવું જ કંઈક બન્યૂ છે. ગુણવંત શાહ આ બાગડોર સંભાળવાના છે! આશા રાખીએ કે શાહ સાહેબ સ્વામીજીના તેજાબી પ્રવચનોનો ચીલચીલો જાળવશે. જો કે આ પ્રવચન નથી પણ લોકો તો તેમને સાંભળવા જ આવવાના છે ને ભઈ..


    જો જો રખે ચૂકતા ...

    અને સરદાર પટેલ સમાજના આંગણે વાળુપાણી પણ ખરા..(અમદાવાદમાં સંસ્થા છે એટલે આ છેલ્લી લાયન ખાસ લખવી પડી છે!)

    Tuesday, October 28, 2008

    નૂતન વર્ષાભિનંદન

    નૂતન વર્ષાભિનંદન!

    આજે ગુજરાતની અસ્મિતાની માવજત કરવાનો અવસર છે. આજે ઘરમાં એક સુંદર પુસ્તક કે એક સુંદર કેસેટ ભલે આવે. આજે ઘરનાં સંતાનો સાથે બેસીને એકાદ સુંદર કવિતા વંચાય કે એક ભજન ગવાય તો મિષ્ટાન્ન પણ અધિક મધુર બનશે. સરેરાશ ગુજરાતી નાગરિક ઉત્સવપ્રિય અને શાંતિપ્રિય છે. એને વિશ્વનાગરિક થવામાં મુશ્કેલી નથી પડતી. એ દુનિયાના કોઈ પણ ખૂણે જાય ત્યાં ગરબો લેતો જાય છે

    નવું વર્ષ, નવી વૃત્તિ, નવી પ્રવૃત્તિ – ગુણવંત શાહ

    Thursday, October 23, 2008

    સંવેદના


    તમને થશે આ કોઈ દિવાળી કાર્ડ છે, પણ ના.. આ આપણી દિવાળી સુધારવા ફટાકડા બનાવી રહેલી ગરીબી છે. આ ફોટો ૨૧મી ઑકટોબરના વર્લ્ડ સ્ટ્રીટ જર્નલમાં છપાયો હતો, એના બરાબર ૪૮ કલાક બાદ આજે એ જ છાપામાં નીચેના ન્યૂઝ પણ છપાયા છે. ઉપરના ફોટાનું પરિણામ નીચેના ન્યૂઝ છે, કોઈ અચરજ પામવા જેવું ખરું? રેસ્ટોરામાં સેન્ડવીચ બનાવનાર હાથમાં મોજા પહેરી શકે પણ આ ગરીબી નહિં... જો આટલી બેઝિક સિક્યૂરિટીનો ખ્યાલ ન રખાતો હોય તો બીજી કોઈ સિક્યૂરિટી આ ગરીબીને મળતી હોય એ માની શકાતું નથી. એ ફેકટરીના માલિકોને કસાઈઓ કેહેવા કે બીજુ કશું? અને પેલી NGOs બધી કયાં મરી ગઈ? વિદેશોના પૈસાથી થ્રી-સ્ટાર હોટેલોમાં ધૂંઆ ઉડાવતી જનતા.. આ NGOsને સાચા કામો ભગવાન નવા વર્ષમાં સૂઝાડે એવી પ્રાર્થના... લાસ્ટલિ, સરકારને પણ જો આત્મા હોય, સંવેદના રહી હોય તો ...

    Explosion at India Fireworks Factory Kills 18(OCTOBER 23, 2008, 12:31 A.M. ET)

    Tuesday, October 21, 2008

    ગ્લોબલ ગરબો

    ગુજરાતની અસ્મિતા, ગુજરાતની વૈશ્વિક ઓળખ, ગુજરાતની આઈડેન્ટીટી ખરેખર શું?. ગુજરાતનો પર્યાય વૈશ્વિક સમૂદાય માટે શું હોય શકે ? હમણા આપણા મુખ્યમંત્રીએ 'કેમ છો?' શબ્દને ગ્લોબલ બનાવવાની હિમાયત કરી હતી. આડવાત રુપે, એ હિમાયતના બીજા જ દિવસે જોન કોરઝાઈનને (ન્યૂ જર્સી સ્ટેટ ગવર્નર, યુ.એસ.) ઘણૂં શીખવાડ્યુ છતા બોલવામાં ફાંફા પડયા હતા. છતાં, 'કેમ છો?' એ જરુર એક સ્પર્ધક ઉમેદવાર તરીકે ગણાવી શકાય. 'ગાંધીજી' આપણી અસ્મિતાને ઉજાગર કરવામાં સૌથી આગળ છે. વિશ્વના કોઈ પણ ભાગમાં ગુજરાતનું નામ સાંભળતા ગાંધીજીને સંભારનાર મળી આવે. ગુજરાતના આઈડેન્ટીટી બ્રાન્ડ એમ્બેસેડરની સ્પર્ધામાં જો ગાંધીજી પછી કોઈ નામ મૂકવું હોય તો કદાચ આપણો 'ગરબો' આવે. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ઘૂમ્યો આપણો ગરબો. એની અસર એવી ઉભી થઈ કે ગરબો એ વિદેશમાં આપણા ભારતીય સમુદાયને એકત્રિત કરવાનું માધ્યમ પણ બની ગયુ. વિદેશોમાં યોજાતા ગરબામાં ૩૦ થી ૫૦% તો બિનગુજરાતી જોવા મળે. ભારતમાં આ એકતા જોવા નથી મળતી. બેંગ્લોરમાં થતા ગરબામાં મોટો સમૂહ ગુજરાતીઓ જ હોય છે, પણ શિકાગોના ગરબામાં બધા સ્થાનિક ભારતીયો હોંશે હોંશે ભાગ લે છે.

    ગઈ નવરાત્રીમાં મને જર્સી સીટીના શેરી ગરબાનો રસાસ્વાદ થયો અને આ બ્લોગનો જન્મ. દિવસે ખાસ્સી ચહલ પહલ ધરાવતી ઈન્ડિયન સ્ટ્રીટ ઉર્ફે Newark Avenue એ જર્સી સીટીના જૂજ મુખ્ય બિઝનેસ રસ્તાઓમાંનો એક છે. નવરાત્રીના સમયે બે વીક-એન્ડ (સપ્તાહાંતો !) દરમિયાન અહીં રાત્રે આ શેરી બંધ કરી દેવામાં આવે અને શેરી ગરબા જામે ! અમેરિકન પ્રજા આપણા મ્યુઝિક, શોર-બકોર કે ઘોંઘાટ સહી લે! વેલ, ઘણા ગોરાઓને મેં ગરબામાં પગલા પાડતા પણ જોયા. કેટલાકે તો આપણા ટ્રેડીશનલ ડ્રેસમાં પણ હતાં. આ ડાન્સ તેમને ભાવી જશે તો આપણો ગરબો ગ્લોબલ થયો સમજો. બીજા સ્થળોએ ગરબામાં આટલા વિદેશીઓ નહિં જોડાતા હોય કેમ કે મોટા ભાગે બધે ટિકિટ હોય, અને કોઈ નવાસવા નિશાળીયાને ટિકિટ દઈ જવાની ઈચ્છા ઓછી થાય. જર્સી સીટીમાં કોઈ ટિકિટ હોતી નથી.

    હમણા કોઈ અંગ્રેજી મુવિમાં 'પંખીડા ઊડી જાજે'નું બેકગ્રાઉન્ડ મ્યુઝિક લેવાયુ છે. કેટલીય યુનિવર્સીટીમાં પણ ગરબા થતા હોય છે અને એમા વિદેશીઓ ખાસ જોડાતા હોય છે.

    મને બીજી નવાઈ એ વાતની લાગી કે અહિં થતા ગરબા ફક્ત એક સર્કલમાં જ લેવાય! સંખ્યા ખુબ વધે તો બે સર્કલ થાય. અમદાવાદના મારા લગભગ ૧૫ વર્ષના અનુભવમાં કોઈ જાહેર ગરબો એક સર્કલમાં જોયેલ નહિં. સોસાયટીના પ્રાઈવેટ ગરબા થાય છે એક સર્કલમાં, પણ પાર્ટી પ્લોટમાં ટોળાશાહી વધુ હોય છે. વળી, આ જર્સી સીટીના ગરબાને એક સર્કલમાં રાખવા ટાઉનના માણસો (નોન-ઈન્ડિયન અફ કોર્સ) સર્કલ વચ્ચે રહી તકેદારી રાખે કે કોઈ સર્કલ બ્રેક ના કરે !

    સલામ ગુજરાતી ડાયસ્પોરાને, ગુજરાતી ગરબાને આટલો ગ્લોબલ કરવા માટે!

    Tuesday, October 14, 2008

    Visa Bulletin November 2008

    Fam-ily All Charge- ability Areas Except Those Listed CHINA-mainland born INDIA MEXICO PHILIP.
    1st
    01MAY02
    01MAY02
    01MAY02
    15SEP92
    01MAY93
    2A
    08FEB04
    08FEB04
    08FEB04
    15JUL01
    08FEB04
    2B
    15JAN00
    15JAN00
    15JAN00
    22APR92
    15JUN97
    3rd
    01JUL00
    01JUL00
    01JUL00
    15SEP92
    08MAY91
    4th
    15NOV97
    08JUN97
    22JUL97
    22JAN95
    22MAR86


    Employ.
    Based

    All
    Charge-ability
    Areas
    Except
    Those
    Listed

    CHINA

    INDIA MEXICO PHILIP.

    1st C C C C C
    2nd C 01JUN04 01JUN03 C C
    3rd 01MAY05 01FEB02 01OCT01 01SEP02 01MAY05
    Other
    Workers
    15JAN03 15JAN03 15JAN03 15JAN03 15JAN03
    4th C C C C C
    Certain Religious Workers U U U U U
    5th C C C C C
    Targeted Employ. Areas/
    Regional Centers
    C C C C C

    Friday, October 10, 2008

    રિસેશનથી ડિપ્રેશન તરફ ..

    છેલ્લા બારેક મહિનાઓથી કેટલાય સર્વે થયા, મીટિંગો યોજાઈ, કમિટિઓ રચાઈ અને બીજુ પણ ઘણું, માત્ર એ જાણવા માટે કે આપણે 'રિસેશન'માં છીએ કે નહિં. હર વખત નવા નવા ગતકડારુપ જવાબો મળતા રહયા. આપણે રિસેશનથી થોડા દૂર છીએ, કે શરુઆતના તબક્કામાં છીએ વગેરે વગેરે.. હવે જ્યારે રિસેશન છાપરે ચડીને બેઠું છે ત્યારે નવા શબ્દે દેખા દેવાનું ચાલું કરી દીધુ છે - ડિપ્રેશન. જે રિસેશનનો સગો દાદો છે.

    આ રિસેશનની કેટલીક વાતો હજુ ત્રણ અઠવાડિયા પહેલા આ બ્લોગ પર ઈન્ટરનેટસ્થ કરી હતી. ત્યાર પછીના કેટલાક અપડેટ આજે જોઈએ. આ રિસેશનનો ભરડો હવે બેન્કો છોડી દેશો પર પણ ફરવા તૈયાર છે. જુઓ કેટલાક ઉદાહરણો.


    પાકિસ્તાન પાસે ફક્ત આવતા બે મહિનાના ગૅસ અને ખોરાક આયાત કરવાનું ભંડોળ બચ્યુ છે.ઝરદારીની ગયા મહિનાની અમેરિકા મુલાકાત દરમિયાન ૫૦૦ મિલિયન ડોલર જ્યાં ત્યાં માંગતા ફરતા હતાં. કાશ્મીરી તોફાનીઓને આંતકવાદી ગણાવ્યા અને બીજા ઘણાં ગતકડા કર્યા પણ કોઈ સહાય મળી નહિ. આજે પાકિસ્તાનમાં ૩૫% ફુગાવાનો દર છે. ૪૫ અબજ ડોલરનું દેવું છે.નાણાકીય ખાધ જીડીપીના ૭% એ પહોંચી ગઈ છે. આવનારા દિવસો કહેશે ક્યા હાલ હૈ.


    આઈલેન્ડ, હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સમાં માનભર્યુ સ્થાન ધરાવે છે, અમેરિકા કરતાં પણ માથાડીઠ આવક વધુ છે. અને છતાં કદાચ આ રિસેશનનો પહેલો શિકાર બનનાર દેશ બને તો નવાઈ નહિં. વેલ, ના તો ખોટા મોર્ગેજ અપાયા હતા, ના તો બીજુ એવું કોઈ કળુ કામ કર્યુ હતું. તો પઈ કયાં કાચું કપાયુ ? અહિંની બેંકોએ એટલા બધા પૈસા ઈન્ટરનેશનલ માર્કેટ્માંથી ઉધારી કરી કે હવે આખા દેશની એ ભરવાની તાકાત ના રહી. ત્યાંનું નાણુ ભાંગી પડયુ છે એટલે એનું બહુ કાંઈ ઉપજે એમ રહ્યુ નથી. શેર વેંચવા લોકો ઈન્ટરનેટ પર જાય પણ સાઈટો ચાલતી નથી. ગેસ ભરાવવા લામ્બ્બ્બ્બી કતારો લાગેલી રહે છે, કોણ જાણે કયારે મળતું બંધ થાય. બેંકોમાંથી બધા પૈસા ઘરભેગા થઈ ગયા છે!

    ઝિમ્બાબ્વે, ૨૩ કરોડ % ફુગાવો !! અમેઝીન્ગ.. બિલિયન ડોલરની કરન્સી નોટ્સ.. વેલ, અહિં પણ કોઈ મોરગેજ કે ક્રેડિટ નામના વાઈરસ નથી વળગ્યા. અહિં રાજકીય અસ્થિરતા મોટો ભાગ ભજવી ગઈ. વર્ષો જુના રાજાને હટાવવા મોટા ભાગના વિકસિત દેશોએ અસહકારનું આંદોલન ઉપાડ્યું. વર્લ્ડ બેંક કે કોઈ ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટ્યુટ કોઈ મદદે ના આવ્યુ. કેટલા આંદોલનો.. ચૂંટણી.. ફરીથી ધમાલો.. છેલ્લે વિરોધપક્ષના નેતા સાથે સત્તાશેરીંગ થયુ.

    લાસ્ટ બટ નોટ લીસ્ટ, અમેરિકા ! હા આ મહાસત્તા પણ મહા આપત્તિમાં ફસાઈ પડી છે. મોરગેજ અને ક્રેડિટ બંને વાઈરસ લાગુ પડયા છે. લેહમેને એની આખ્ખી બેંકની કિંમત કરતા ૪૫ ઘણા વધુ ઉધારીના પૈસા ઈન્વેસ્ટ કર્યા હતા!! વેલ, રિચ ડેડ પુઅર ડેડ એના મેનેજમેન્ટમાં કોઈએ નહિં વાંચી હોઈ ? એવું તો ના બને. ન્યૂયોર્ક ટઈમ્સ સ્ક્વેર પર લગાડેલ દેશના દેવાની ઘડિયાળમાં આંકડા ખૂટી પડ્યા છે! લોસ એન્જલસમાં વસતા ઈન્ડિયન ફાઈનાન્સ એડવાઈઝરે ત્રણ પુત્રો, પત્ની અને પોતાને ગોળીએ દીધાનો દાખલો બન્યાને અઠવાડિયુ પણ નથી થયુ. નોટસમાં એમની ફાઈનાન્સીઅલ પરિસ્થિતિને આવું કરવા જવાબદાર ગણાવ્યા.

    ૧૯૩૦ના અમેરિકાના મહાભયંકર ડિપ્રેશન વખતે ઢગલાબંધ અફવાઓ ફેલાતી રહેતી જેમ આજકાલ icici પાછળ બધા હાથ ધોઈને પડ્યા છે એમ. એક જ દિવસમાં ૨૬% શેરના ભાવ ગગડે એમાં નાણામંત્રી કે સીઈઓ કરતા પેલી અફવાની પરસનાલિટી ઊંચી સાબિત થાય છે !

    Thursday, October 9, 2008

    ટાટા નેનો

    દૂર્ગાપૂજાનું પ. બંગાળમાં અનોખુ મહત્વ છે. મોટા પંડાળ ઉભા કરી ટોળા આકર્ષવા અવનવા કીમિયા ગોઠવાતા રહે છે. જ્યાં લોકો માં દૂર્ગાની પૂજા કરવા એકઠા થાય છે. આ વર્ષે કોલકાત્તાના સંતોષ મિત્રા સર્કલ પર આવા જ એક પંડાળમાં ટાટાની નેનો અને તેની પાછળ ફેકટરીનું દ્ર્શ્ય ઉભુ કરાયુ છે. ઈકોનોમિસ્ટ મેગેઝિને આ પંડાળ કરતા પણ વધુ સ્વાદિષ્ટ બાયલાયન નીચે દર્શાવેલા ફોટા હેઠળ મૂકી છેઃ પ. બંગાળની પેલ્લી ને છેલ્લી નેનો !



    Courtesy: Economist.com


    અને આ છે નેનોનું 'કોસ્ટ મોડેલ' ...



    જો કોઈ નેનોના આગમન પછીનો આપણા મુખ્ય રસ્તાઓની હાલતનું કલ્પનાચિત્ર કોઈ રજૂ કરે તો કેવું!

    અને આ છે જૂના બ્લોગની લીન્ક જ્યાં ટાટાનો ઉલ્લેખ છેઃ

    Monday, September 29, 2008

    Tatkal Tickets Tips

    This is very useful piece to book Tatkal Tickets online from a blog Also, one of the comment added that erail.in is faster site than irctc.

    1. In tatkal tickets even though the ticket is always booked from starting station of train to the ending station, there are different quotas for different source, destination pairs, which is extremely surprising. So for example today when I looked for Tatkal ticket from New Delhi to Nagpur on Gondwana express it was showing waiting. But for the same train when I looked for New Delhi to Bilaspur (which is the end station), it was showing around 86 tickets available. So I happily booked the ticket from New Delhi to Bilaspur, ofcourse after a few retries. So remember, always look for availability and book ticket from starting to ending station of train and anyways you are going to pay for the whole ticket in tatkal no matter what your source and destination are.

    2. Tatkal days can be booked 5 days in advance. But a large number of times when booking a ticket from Nagpur to Delhi, exactly 5 days in advance and at sharp 8 am in the morning (which is when tatkal bookings open), I would find no availability. This puzzled me a lot and then I had one of those life changing moments, an epiphany, an aha insight. The trains didnt actually start at nagpur and in many cases the starting day would be one before the day they reached nagpur. For example Tamil Nadu express reaches Nagpur on 10th of June but it started from Chennai on 9th of June. So its tatkal booking would have opened on 4th of June (not on 5th) and would have got over that day itself. So lookout for the starting day of your train and book 5 days in advance from then. Also if I would have given my source station as Nagpur it will not have allowed me to book on 4th saying that "tatkal tickets can onlly be booked 5 days in advance". So again you would have to give source station as the starting station of train and then in boarding point you can put your actual station.

    3. There is an option of "Quick Book" in the menu just below Plan Your Travel. This is something I discovered just a few days back and it is very useful. Basically here you need to know the train number that you would be traveling on and then in a single page you can fill all the details and get the booking instead of first looking at list of trains and then selecting one among them. Protocol I follow is that first at www.indianrail.gov.in I look at the availability and select a particular train I would like to travel on and then I directly go to Quick Book on irctc and fill in all the details. This really saves a lot of time, especially since indianrail.gov.in is not down that often as irctc. Also if a large number of people start using indianrail.gov.in for availability lookups than hopefully it should reduce the load on irctc and make it more responsive.

    Thursday, September 25, 2008

    Paragraphs worth of 10,000 Crores

    Read this story of Gujarat Samachar

    and now the original story of New York Times which has created the issue worth of 10,000 crores !

    What most distinguishes Reliance from its rivals is what Mr. Ambani’s friends and associates describe as his “intelligence agency,” a network of lobbyists and spies in New Delhi who they say collect data about the vulnerabilities of the powerful, about the minutiae of bureaucrats’ schedules, about the activities of their competitors.

    Mr. Ambani said in the interview that all such activities were overseen by his brother before they split, and had since been expunged from his tranche of the company. “We de-merged all of that,” he says, breaking out in a belly laugh. A spokesman for Anil Ambani declined to comment.

    Nonetheless, Reliance, some observers say, still manages to stay very well informed. “Their intelligence on government is very strong,” Mr. Talwar says. “If a meeting were to be held and the subject was affecting their business, they would know about it.”

    Critics say Reliance has been especially effective at managing the press. Both former Reliance executives, who requested anonymity for fear of angering Mr. Ambani, say the company has actively curried favor with journalists to help it track the progress of negative articles. A prominent Indian editor, formerly of The Times of India, who requested anonymity because of concerns about upsetting Mr. Ambani, says Reliance maintains good relationships with newspaper owners; editors, in turn, fear investigating it too closely.

    “I don’t think anyone else comes close to it,” the editor said of Reliance’s sway. “I don’t think anyone is able to work the system as they can.”

    And the net result is plain: although India’s raucous news media have brought down many a powerful person and institution, Mr. Ambani and Reliance are rarely the subjects of hard-hitting Indian reporting.

    Reliance disagrees, regarding itself as the target of relentless media attacks. “There is malicious and negative stuff being written all the time. So where is the influence?” the Reliance spokesman said. “Mr. Ambani has told me that he will never pick up the phone and talk to the owner of a publication to say, ‘Write positive stuff’ or, ‘Stop writing negative stuff.’ ”


    ફોરેન્સીક યુનિવર્સીટી

    ફોરેન્સીક યુનિવર્સીટી.. કેટલું સરસ નામ છે ? વારુ તમને કંઈ ટ્રેડિશનલ ખામી દેખાઈ છે આ શબ્દમાં ? નથી દેખાતી રાઈટ ? આ એક બીજી ત્રુટિ છે, જ્યારે કોઈ ગમતી કે માનીતી વ્યકિતએ કંઈક કહ્યુ હોય ત્યારે એમા આપણને કશુ ખોટુ દેખાતું નથી. વૅલ, તમે કયારેય મેડીસીન યુનિવસીટી કે મેથ્સ યુનિવર્સીટી નામ સાંભળ્યુ છે ? માથૂ ખંજવાળી લીધુ તોય જવાબ ના મળ્યો... વારુ, તમે જે સબ્જેકટ ભણ્યા છો એ કઈ યુનિ.માં ભણ્યા ?

    હોપફુલી, યુ ગોટ માય પોઈન્ટ. આ વિશ્વની ટ્રેડીશનમાં વિષયના નામે યુનિવર્સીટી હોતી નથી. અને રાખો તો કોઈ ના નહિં પાડે પણ એવો પોકળ દાવો ના કરો કે વિશ્વની પ્રથમ ફોરેન્સીક યુનિવર્સીટી વગેરે બ્લાહ બ્લાહ.

    આજના છાપાની આ 'આઈટમ' જુઓ. ગુજરાત વિધાનસભાગૃહમાં આજે વિશ્વની એકમાત્ર અને સૌપ્રથમ ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની રચના કરવા અંગેનું વિધેયક પસાર કરાયું છે

    હવે ગુગલ પર જાઓ જરા. અંગ્રેજીમાં "ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી" અથવા "ફોરેન્સીક યુનિવર્સીટી" લખી જરા ખાખાખોળા કરો. ૧.૧૪ કરોડ રિજલ્ટસ ! અરે ભાઈ કોઈ આપણા મંત્રીશ્રીઓ કે ન.મો.ને બતાવો. હવે બીજી કસરત. ફરીથી આ શબ્દો ગુગલ કરો તો : "ફોરેન્સીક યુનિવર્સીટી ઇન્ડિયા". વૅલ, આંકડો નથી જોઈતો પણ તમે જોઈ શકશો કે આપણા ભારતમાં ફોરેન્સીક સાયન્સ ભાણાવતી કેટકલી યુનિવર્સીટીઓ છે !

    આપણે ગમતાને કેટલા બધી માત્રામાં ગુલાલ કરીએ છીએ !

    Monday, September 15, 2008

    અમેરિકન ઉઠમણા !

    છેલ્લા એકાદ વર્ષથી આ દેશની અર્થવ્યવસ્થા કથળી ગઈ છે, ખાડે ગઈ છે, ઘોર ખોદી છે! પેલા બેન્કોના વ્યાજદરો ઘટાડી સમતુલા જાળવવાના પ્રયત્નો થયા. વ્યાજદર ૬ ટકાએથી ૨ ટકાની અંદર લઈ આવ્યા તોય બે છેડા ભેગા થયા નહિ. પાયામાં હતું મોર્ગેજ ધિરાણ. મકાનો પર ધિરાણ આપવામાં બધી અમેરિકન બેંકોએ ભગા કર્યા. જેટલી કાળી-ધોળી શક્ય હોય એ રીતો વડે લોકોને 'ઘર' પહેરાવ્યા. તમારી પાસે કોઈ આવશ્યક કાગળ ના હોય એમનો રસ્તો બેંકના એજન્ટ જ તમને શોધી આપે એવી સ્વયંભૂ વ્યવસ્થા ગળાકાપ સ્પર્ધામાં પાછળ ન રહેવાની લ્હાયમાં ઉભી થઈ. જ્યારે મારકેટ સારૂ ન્હોતુ, નોકરીની તકો ઘટવા માંડી એટલે લોકોએ ઘરના હપતા ભરવાનું માંડી વાળ્યુ! નુકસાન બેંકોને ભોગવવાનું આવ્યુ. ગયા માર્ચમાં Bear Stearns ઉઠી, રાતોરાત ગવર્મેન્ટના નિર્દેશથી જે.પી.મોર્ગને ૨ ડોલર પ્રતિ શેરના ભાવે કંપની ખરીદી લીધી. વર્ષોથી ઉભી થયેલી આ બેંકને ખરતા માત્ર એક વીક-એન્ડ લાગ્યુ. હવે કઈ કંપની કેટલા પાણીમાં છે તેનું એનાલિસિસ કરતી સ્ટોકબ્રોકિંગ હાઉસ લેહમેન ડૂબી. આ લખાઈ છે ત્યાં સુધી કોઈ ઉગારનાર મળ્યો નથી. ઇન્વેસ્ટ્મેન્ટ ડિવિઝન વેચવા કાઢયુ છે. બીજી તરફ બેંક ઑફ અમેરિકા મેરિન લીંચને ખરીદી રહ્યુ છે. આમ એક પછી એક અમેરિકન ઉઠમણા ચાલી રહ્યા છે. કોઈને ખબર નથી બારમુ કયારે પતશે એની!

    એક અટકળ મુજબ ચૂંટણી ભંડોળમા અપાતી મોટી સખાવાતો આ બેંકોને પડતા પર પાટા માર્યા છે. ચૂંટણી પત્યાને થોડા સમય પછી સ્થિરતાના એંધાણ દેખાઈ એવી અટકળો પણ છે.

    થોડા અઠવાડિયા પહેલા Fannie Mae અને Freddie Ma મોર્ગેજ કંપનીઓએ દેવાળુ ફૂંક્યું, જેને સરકારે માંડ ઉગારી ત્યાં બીજા ભૂત તૈયાર જ હતા! આગામી સપ્તાહમાં વોશિંગ્ટન મ્યુચ્અલ, મોર્ગન સ્ટેન્લી અને ગોલ્ડમેન સેચના ત્રિમાસિક પરિણામો છે, જોઈએ આ રોલર કોસ્ટર કેવુંક ફરે છે!

    Gujarat Government website been hacked

    Yesterday I read this article on DivyaBhaskar website and immediately I realized that the official website of Gujarat Government is been hacked. If you read this news, one can find that it as it claims, http://suratpolicecommisioner.gujaratindia.com is hacked. But, as it clarifies that its not the actual website of Surat Police Commissioner. When I tried to access http://a.gujaratindia.com, it went to same page with pictures of terrorist like people and some comments in Urdu. Similarly, for any subdomain except "www" it was redirected to the same page. So, there are multiple possibilities of this hack. One of them is they somehow got access to admin site which resides on the hosting site. Which is possible with the hacked username/password. Other way to access hosting site is through hacking their server. The later option is possible when the server is not tightly secured. It seems that they didnt get control over the server, otherwise they would have hacked entire site than just the 'subdomain redirection'. One of the possiblities is, they could have found existing hack in the site and then managed to update their page on the server.

    IP of hosting server is 66.152.162.114 located in New York. It is under control of Multacom Corporation. You can see full detail of the hosted server and registrant here. The webserver is Microsoft IIS.

    This site is no more accessible, that's the good sign, as someone would be working to fix this. Though it was accessible just before 12 hours or so.

    Most of the Gujarat Government websites are created and maintained by Ahmedabad based small companies like Sai Info, SilverTouch (now Semaphore) . SilverTouch created (and possibly maintaining also) GujaratIndia.com.

    Last year there was another instance of finding pornographic material on one of the government department website. Government websites having old data or not updated frequently is a quite common news items in various news papers. Still all software contractors are same old guys since years.

    Seems like this is the first technical interpretation of the hack, as Bhaskar news wasn't clear about this. Neither they said the site of Gujarat government is been hacked. Also, I could not find it in any news paper or blog or anywhere on internet.

    Friday, September 12, 2008

    ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ – સૌમ્ય જોશી





    આ સ્યોરી કહેવા આ’યો સું ને ઘાબાજરિયું લાયો’સું.

    હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.

    કે તીજા ધોરણમાં તારો પાઠ આવે’સે.

    હવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ

    તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,

    ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,

    તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.

    હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,

    ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો.

    મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,

    આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી.

    હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું,

    પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું!

    ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો.

    એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો.

    બાપડાન ભા, મારા ભા જેવા હશે,

    આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને


    બારી કરી આલી’તી ઘરમાં

    તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે,

    દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા.

    વાંક એનો સી,

    હાડી હત્તરવાર ખરો,

    પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,

    હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,

    તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત

    તો શું તું ભગવાન ના થાત?

    તારું તપ તૂટી જાત?

    હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ.

    ચલો એ ય જવા દો,

    તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,

    પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું?

    તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા,

    મું ખાલી એટલું કહું’સું.

    કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,


    હખેથી ભણવા દે ન મારી સોડીને,

    આ હજાર દેરા સી તારા આરસના,

    એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય,

    ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ!

    ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં,

    કે પેલો ગોવાળિયો આયો’તો, સ્યોરી કહી ગ્યો છે,

    ને ઘાબાજરિયું દઈ ગ્યો છે!

    *****


    વર્લ્ડ ગુજરાતી કોન્ફરન્સમાં સૌમ્ય જોશીને કવિ સંમેલનમાં આ કવિતા ગાતા-કહેતા-બોલતા સાંભળ્યા અને મને ચસકો ચડયો આ કવિતા શોધવાનો. દુનિયા નાની છે, બહુ થોડી જ મિનિટોમાં મળી આવી કવિતા અને એ પણ વીડિયો સાથે ! આભાર ગુંજનભાઈનો આ કવિતા અને વીડિયો એમના બ્લોગમાં ઉપલબ્ધ કરાવવા બદલ!

    Monday, September 8, 2008

    World Gujarati Conference (Day 2)

    બીજો દિવસ નિર્ધારિત સમય કરતા મોડો ચાલુ થયો. સવારમાં ભકિત સંગીત અને પછી સ્વામી અધ્યાત્માનંદજીનું પ્રવચન. તેમણે ઉપદેશ આપતા કહ્યુ, જીવનમાં નાની બાબતોથી અસ્વસ્થ થશો નહિ. ખૂબ પ્રેમથી સંસાર ચલાવો. શંકા, આઘીપાછી, વગેરેથી દૂર રહો. ઉદાર બનો.

    આ આખ્ખા કાર્યક્રમનો કમાઉ દિકરો છે બેઠકખંડની બહાર ગોઠવાયેલ પ્રોપર્ટી શૉ અને બીજા અનેક સ્ટૉલ્સ. આ બધા મોટી રકમ આપી પોતાની પ્રોડકટ હજારો ગુજરાતીઓ સુધી પહોંચાડવા માંગે છે. જેમાં અનેક બિલ્ડર્સ ગુજરાતથી આવ્યા છે. કેટલાક જાણીતા નામો જેવા કે એર ઇન્ડિયા, મૅક માય ટ્રીપ, જેટ એરવેઝ, વાયબ્રન્ટ ગુજરાત ૨૦૦૯, વગેરે સ્ટોલ્સ હાજર હતાં. સોફટવેર ઇન્ડસ્ટ્રીનો પણ એક સ્ટૉલ હતો!! સાંઈ ઈન્ફોસીસ્ટમ. આ સ્ટૉલની મુલકાત કોઇ બોરીંગ કાર્યક્રમ વખતે લઈશુ!

    બપોરે દોઢ વાગ્યાથી અલગ અલગ ચાર ખંડોમાં જુદા-જુદા વિષયો પરના સેમિનારોનું આયોજન થયુ હતું. મને આમાના એક સેમિનારની ઘણા સમયથી વાટ હતી, રાહ હતી. એના વક્તા હતા ડૉ. સામ પિત્રોડા. જેમણે 'ટેકનોલોજી' પર સરસ વ્યકતવ્ય આપ્યુ. તેમણે એ વાત પણ કહી કે ભલે કોઈ મોટી શોધખોળ ભારતીયના નામે જોવા ના મળતી હોય, મોટા ભાગની આધુનિક શોધોમાં કોઈક ભારતીયનો હાથ ચોકકસ હોય છે. ફરક એટલો જ છે કે એ વિદેશી ધરતી પર અને વિદેશી નોકરી દરમિયાન આ સિધ્ધિ મેળવે છે. તેમણે ટેકનોલોજીને દરેક પ્રશ્નના ઉત્તર તરીકે ગણાવી. એક વિષયનું જ્ઞાન આજની એડ્વાન્સ ટેકનોલોજીના યુગમાં નહિં ચાલે, multi-disciplinary જ્ઞાન એ આજના યુગની આવશ્યકતા છે. ધારાવિમાં પાણી ભરેલી બેગ દિવાલે લટકાડી મોટી જગ્યા બચાવી શકાઈ છે, જે તેમણે ટેકનોલોજીના દરેક પ્રશ્નના ઉકેલ શોધવાના ઉદાહરણ તરીકે ટાંકયુ. મેડિકલ સાયન્સની પ્રગતિથી ૧૨૦ વર્ષનું આયુષ્ય આસાનીથી આવતા વરસોમાં જોવા મળશે. ૮૦-૧૦૦ જેટલા રસિયાઓ સમક્ષ એમણે વિજ્ઞાન વહેંચ્યુ!

    સામ પિત્રોડા એક સવાયા ગુજરાતી. હજુ ઘણું સરસ ગુજરાતી બોલે છે. ૭૫+ પેટન્ટસ એમના નામે બોલે છે. ચેરમેન વર્લ્ડ ટેલ, એડ્વાઈઝર ટુ ધ મોસ્ટ ટેક્નો પ્રાઈમ મિનિસ્ટર રાજીવ ગાંધી, ચેરમેન ટુ ધ નૉલૅજ કમિશન અને બીજા કેટલાય હોદ્દાઓ શોભાવ્યા છે એમણે. એમની વાત નીકળી છે તો એક આડવાત કરી દઉ. થોડા સમય પહેલા ચિત્રલેખામાં એક ખુબ સરસ લેખ 'મળવા જેવા માણસ' કૌશિક મહેતાની કલમે આવેલો. આ લેખ હતઓ ખ્યાતનામ શિક્ષક ભરાડસાહેબ વિષે હતો. આ લેખના પહેલા બે અક્ષર હતા "સામ પિત્રોડા". એમા એવું કહેવાયુ છે કે સામ પિત્રોડા ગીજુભાઈ ભરાડ જોડે ભણ્યા છે. મેં વાત-વાતમાં પુછી લીધુ સૅમ પિત્રોડાને, અને અચરજ! સૅમ પિત્રોડા ભરાડ સાહેબને ઓળખી શક્યા નહિ! ખબર નહિં પણ ક્યાંક તો કાચુ કપાયુ છે ! સૅમ કહે છે કે, તેઓ કયારેય રાજકોટ કે સૌરાષ્ટમાં ભણ્યા જ નથી. ખેર, બેક ટુ ધ ટૉપિક નાઉ.


    એમના સેમિનાર પછી બીજો સેમિનાર હતો ડૉ.કમલેશ લુલ્લા, ચીફ સાયન્ટીસ્ટ નાસાનો ! એમનો વિષય હતો 'અવકાશમાંથી ગુજરાત'! અને એમણે વિવિધ અવકાશયાનોએ કે અવકાશયાત્રિઓએ ખેંચેલી ગુજરાતની તસ્વીરો બતાવી અને રસપ્રદ ઇતિહાસ વર્ણવ્યો. તેમણે દ્વારકાના અને સેતુબંધના અવકાશમાંથી લેવાયેલ તસવીરો પણ બતાવી! ધર્મ અને વિજ્ઞાનનું રસમય જોડાણ તેમણે કરી આપ્યુ. ખુબ સરસ સેમિનાર. સ્ટ્રેઈટ ફ્રોમ નાસા સાયન્ટીસ્ટ!

    જમવામાં કોઈ પ્રકારની કતારો રહી ન્હોતી. ૩ વાગવા આવ્યા હતા. આપણે જમી લીધુ. પણ આજે ગઈકાલ જેવી ટોળાશાહી ન થાય એ માટે રેલીંગ મૂકી સીંગલ કતાર બને એવી વ્યવસ્થા કરાય હતી! મને યાદ આવ્યા બકુલ ધોળકીયા! એમની જ IIMAએ તિરુપતિની ભીડનો ઉકેલ આપેલો, કદાચ અહીં થયેલા શીઘ્ર વ્યવસ્થાપનમાં પણ એમની સૂઝ હોય!

    અત્રે જણાવી દઉ, બીજા ત્રણ ખંડોમાં પણ બીજા વિષયો પરના સેમિનાર થયા પણ ચારમાંથી એક જ પસંદ કરવાની સ્થિતિમાં મેં મારા પ્રોફેસનને ન્યાય આપ્યો ! બીજા સેમિનારો કેવા હતા અને હાર્દ શું હતું, કોઇ કહેશે તો સાંભળવું ગમશે.

    હવે આજનો બેસ્ટ પ્રોગામ ચાલુ થવાનો હતો. સમય છે હવે આપણા ધૂરંધર કવિઓને અર્જ આપવાનો. હાજર હતા માંધાતાઓ આદિલ મન્સૂરી, જલન માતરી, રાજેશ વ્યાસ, અંકિત, સૌમ્ય જોશી, વિનોદ જોશી, હર્ષ બ્રહ્મભટ્ટ. આદિલ સાહેબે 'પ્રણયની જગમાં..' અને 'માણેકચોકમાં ...' નો આસ્વાદ કરાવ્યો. તાળીઓથી સૌ કોઈએ વધાવ્યા વતનના આ પરદેશી શાયરને. આદિલ સાહેબ મારા ટાઉનમાં જ રહે છે. વર્ષો પહેલા અમદાવાદમાં ડિપાર્ટમેન્ટ ઑફ જર્નાલિઝમમાં સાંભળેલા ત્યારે જાણેલું કે તેઓ એડવર્ટાઈઝીંગ ઇન્ડ્સ્ટ્રી સાથે સંકળાયેલા છે અને મોટા ભાગે બાયલાયન બનાવવાનું કામ કરતા હતાં. બહુ જાણીતી 'નમામિ દેવી નર્મદે...' એ એમણે આપેલી બાયલાયન હતી. તેઓ અંગ્રેજી ન જાણતા હોવા છતા મલ્ટિનેશનલ કંપનીમાં આ પ્રમાણેની નોકરી કરી ચૂક્યા છે. તેમણે સર્જેલ બાયલાયનનું બીજા ટ્રાન્સલેટર ગુજરાતીમાંથી જે પણ ભાષાની જાહેરાત હોય એમાં ભાષાંતર કરતા! છે ને મૂંઠી ઉંચેરો માનવ?! જો કે હાલની તેઓની પ્રવૃત્તિઓથી હું વાકેફ નથી. લો સાંભળો એમની એક ગઝલ -

    આપનું મુખ જોઇ મનમાં થાય છે,ચાંદ પર લોકો અમસ્તા જાય છે.
    જાગવાનું મન ઘણુંયે થાય છે.આંખ ખોલું છું તો સપનાં જાય છે.

    આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?
    આપ શું સમજો હૃદયની વાતમાં,આપને ક્યાં દર્દ જેવું થાય છે?

    લાખ કાંટાઓ મથે સંતાડવા તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?
    દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

    કવિ સંમેલનમાં બધા કવિઓએ ખુબ રંગત જમાવી. મને વિષેશ મજા પડી સૌમ્ય જોશીની નાવિન્યસભર કવિતાઓથી.. કદાચ પહેલીવાર એમની કવિતાઓ સાંભળી એટલે હશે. એક કવિતા હતી, 'મહાવીર સ્વામી અને જેઠો ભરવાડ' ! તો બીજી વળી 'સ્થિતપ્રગ્ન ભેંસ'! અને 'રાણા માથે શું વીતી હશે ?' ખુબ જ નીરાળી રજુઆત અને તદ્દન નવા આયામ પર રચાયેલી કવિતાઓ. રાજેશ વ્યાસ અને જલન માતરી પણ ખુબ જામ્યા. જલન માતરીએ નિખાલસ કબુલાત પણ કરી કે આ તેમનો પહેલો વિદેશપ્રવાસ છે, બીજા ઘણાનો હશે પણ એવું કહેવાની હિંમત કોની? કોમી હુલ્લડમાં તેમને ઘર છોડી ભાગવું પડયુ અને ત્યારે રચાયેલ મુકતકો કહયા. અંકિત ત્રિવેદીએ પણ મજ્જા કરાવી. 'વન્સ મોર' કોઇ કવિને પણ મળી શકે છે !!

    સિકાકસ સ્વામિનારાયણ મંદિરના પાઈપ બેન્ડથી આજના મહેમાનોનું સ્વાગત કરાયુ.
    હવે સમય છે મહેમાનોને મંચ આપવાનો. આઈ મીન એ બધા ભાષણો કરશે. શરૂઆત થઈ ઉડ્ડ્યન મિનિસ્ટર પ્રફુલ્લ પટેલથી. તેમની સ્પીચ સારી હતી. ૨-૩ વર્ષોમાં મોટા ભાગના એરર્પોર્ટસ સુધરી જશે, એવી હૈયાધારણ આપી. સારુ ગુજરાતી બોલી જાણે છે.

    સામ પિત્રોડાએ પણ એક ટૂંકુ ભાષણ કર્યુ. તેમણે આ સમારંભને "ગુજરાતી મેળો" એવું નામ આપ્યુ. ચિત્રલેખાના મૌલિક કોટકે પણ માઈક ઝાલ્યુ. સિધ્ધાર્થ પટેલે વિકાસને ગુજરાનતના ઈતિહાસ સાથે વણી લીધો. પણ કોઇને કશી સાંભળવાની કે ઝીલવાની તમન્ના હતી નહીં. પંકજ ઉધાસને લોકોએ તાળીઓથી વધાવ્યા, તેમણે પણ પાંચેક મિનિટ વાતો કરી. એક ખુબ ચોટદાર વ્યકતવ્ય આપ્યુ અશ્વિન વઘાસિયાએ. ખુબ યુવાન વયે 'મારફાડ' ઇંગ્લિશમાં સરસ ભાષણ કર્યુ. આ એ જ યુવાન હતો જ્યારે કોઈ પણ અમેરિકન મહાનુભાવો (સેનેટર કે ગવર્નર કે અન્ય કોઈ)ને સભા ખંડમાં કંપનિ આપવાનું કામ જાણે-અજાણ્યે કર્યુ હતું. આમણે કદાચ પેલા દિવસે સવારે ભરતસિંહ સોલંકીને ગવર્નર જોડે ફક્ત માથુ ધુણાવતા જોઈ લીધા હશે! અશ્વિને એક સ્પોન્સરની હેસિયતથી માઈક ઝાલવા મળ્યુ હતું, પણ બાકીના તમામ સ્પોન્સર્સ અને કેટલાય દિગ્ગજોને શરમાવે એવી સરસ સ્પિચ આપી એમણે.

    બીજા ૨-૩ પ્રવચનો પણ થયા હશે, પણ હવે સ્ક્રીન પર હાજર હતા ગાંધીનગરથી નરેન્દ્ર મોદીજી. વૅલ, નથીંગ ન્યૂ. તમે એમના આ વર્ષના ૩-૪ પ્રવચનો સાંભળ્યા હોય તો બધુ રીપિટ જ હતું. જેમ કે ગુજરાતનો વિકાસ, આતંકવાદ, સ્વર્ણિમ જયંતી, વાયબ્રન્ટ ગુજરાત, અને બીજા આંકડાઓ ! મને એક વાત બહુ ગમી, 'કેમ છો' શબ્દને આંતરરાષ્ટ્રીય બનાવવા અંગેની. વિચાર સરસ છે અને આપણી જોડે લગભગ ૩૦-૪૦ લાખ એમ્બેસેડર્સ વર્લ્ડવાઈડ પથરાયેલા છે એટલે સરળ પણ છે! બીજો મુદ્દો ગમ્યો જેમા એંમણે વડાપ્રધાનને ઇ-મેઇલ કરી ગુજકોકની જરુરિયાત જણાવવા આહવાહન કર્યુ. આ સાંજના જમવાના સમયે ચાલી રહેલું પ્રવચન હતું છતાં કોઈને આજે જમવામાં રસ ન્હોતો !! આખો હૉલ ભરાયેલો હતો અને પાછળ કેટલાય લોકો ઉભા રહીને પણ સાંભળી રહ્યા હતાં.

    લંડનથી મેર ગ્રુપના ભાઈઓના રાસે વાતાવરણને ગજાવ્યુ! પ્રેક્ષકોને આકર્ષિત કરવામાં તેઓ સફળ રહ્યાં. ગરબા છાશવારે સ્ટેજ પર પથરાતા રહેતા હતા. પણ હવે કાંઈ ખાસ એનું આકર્ષણ ન્હોતુ રહ્યું. એકાદ નાટક પણ ભજવાયુ હતું દિવસ દરમિયાન, પણ ઠીક હતું. સૌમ્ય જોશીનું નાટક હીટ રહ્યું.

    સાંજનો સથવારો હતો ઉધાસ ત્રિપુટીનો! હા મને પણ નવાઈ લાગી હતી એ જાણીને કે પંકજ ઉધાસને બીજા બે ભાઈઓ છે અને ત્રણે સરસ ગાય છે. મનહરને તો દરેક ગુજરાતી ઓળખે પણ નિર્મળનું નામ મેં કયારેય સાંભળ્યુ નહોતું. આ ત્રણે ભાઈઓએ એક સંગીતમય કાર્યક્રમ આપ્યો 'ત્રણ મૌસમ'! મનહર ઉધાસે 'નયનને બંધ રાખીને' ગઝલો ગાઈ. પંકજ ઉધાસે પણ એમના લોકપ્રિય ફિલમી ગીતો ગાયા. નિર્મળે નિરાશ ના કર્યા પણ એમના ભાઈઓ જેટલું નામ એમનું કેમ નથી એ તો જાણી જ શકાયુ.

    લગભગ દસ વાગી ચુક્યા હતા, હવે વારો હતો યુવા કલાકારો પાર્થિવ ગોહિલ અને ઐશ્વર્યા મઝમુદારનો. એમણે 'બોલીવુડ ધમાલ' મચાવી. ખુબ સારો પ્રતિસાદ સાંપડ્યો બન્ને ગાયકોને. શ્રોતાઓને ઝુમાવી દીધા, એક એક્થી ચડિયાતા હિન્દી ગીતો થકી. એક પ્રસંગ લખવાનું આંગળા દુખે છે છતા લખવાનું રોકાતું નથી. ઐશ્વર્યાએ 'લીંબૂડા લીંબૂડા ...' ગાયુ. આપણો ધ્વનિત સ્ટેજ ઉપર હાજર હતો લોકોને જોમ ચઢાવવા માટે કદાચ. હવે જોમમાં આવી ગયેલા ધ્વનિતભાઈએ હાથમાં રહેલ મોટુ લીંબુ પ્રેક્ષકો તરફ પુરી તાકાતથી છુટ્ટુ ફેંકયું. મેં આજુબાજુમાં વાત કરી કે આવી બન્યુ આ ભાઈનું આજે. પાંચ મિનિટ પણ નહિ થઈ હોય ત્યાં કોઈકે ફરિયાદ કરી. અસલમાં એક બહેનની આંખ સહેજમાં બચી ગયેલ અને મોટુ ઢોકળું થયેલ. બાપડાએ મંચ પરથી માફી માંગી. સારુ થયુ કે પેલા બહેન પોલિસ સુધી ન ગયા, નહિં તો ધ્વનિતને 'લીંબુપાઠ' મળત. પણ આ ભાઈ ફ્રીજમાંથી કાઢેલ દાળ જેવા થીજી ગયા આ પ્રસંગ પછી!
    ૯-૧૦ વાગ્યામાં ઉંઘી જતા આપણી જમાતે બે વાગ્યા સુધી આ કલાકારોને મનભરીને માણ્યા. તમને લાગશે પછી બધા વિખેરાય ગયા ? ના રે ના !


    બે વાગ્યા પછી જામ્યો ડાયરો ! શાહબુદ્દીન રાઠોડ અને હેમંત ચૌહાણના નામો ડાયરા માટે અગાઉ જાહેરાતોમાં આવી ચૂક્યા હતાં, પણ એ બેમાંથી એક પણ અહિ હતા નહિ. હાજર હતા લોકલાડિલા ભીખુદાન ગઢવી અને ભારતી વ્યાસ. ભારતી વ્યાસને પેલીવાર સાંભળ્યા હવે કયારેય સાંભળવા નહિં પડે. પણ ભીખુદાનદાદાએ જલ્સા કરાવ્યા. અમારી કાઠીયાવાડી તળપદી ભાષામાં સરસ વાતો કરી. એમણે ઝવેરચંદ મેઘાણીને ખુબ યાદ કર્યા. ગામડુ બોલે અને શહેર સાંભળે, અભણ બોલે અને ભણેલ સાંભળે એ ખરી લોકશાહી! વચ્ચે વિક્ષેપ પાડયો રામાયણ સીરીયલના રાવણે! આઈ મીન અરવિંદ ત્રિવેદીએ. એમણે શિવસ્તુતિ રજુ કરી, પણ બીજા કોઈ સમયે કરી હોત તો વધુ મજા આવત. ભીખુદાનભાઈને પડતા મેલી આ સ્તુતિમાં કોઈને રસ ન્હોતો. પણ એમણે પુરી ૩૦ મિનિટ્ કાઢી ૫ મિનિટની સ્તુતિ ગાવા. જો કે એમની અંતર્મ્ગ વાતો જણવા મળી. એ પોતે રામભક્ત છે અને એના ઘેર રામમંદિર પણ બંધાવેલ છે. (સીરીયલ ચાલૂ થઈ એ પહેલા). એમના કહ્યા પ્રમાણે રાવણના પાત્રથી બીજો તો કોઈ ફાયદો ના થયો પણ ગુજરાતની જનતાએ એમને લોકસભામાં પહોંચાડી દિધા. એમણે રમૂજ કરતા કહ્યું, સીતામાતા આખી રામાયણમાં કયાંય ના બોલ્યા રાવણ જોડે પણ લોકસભામાં રોજ બોલતા! રામાયણ સીરીયલનો ૭૦% સ્ટાફ ગુજરાતી હતો એવું પણ તેંમણે જણાવ્યુ. ફરીથી ભીખુદાનભાઈ આવ્યા અને રંગત જામી. એમણે ટોણો મારતા બરાબર કહ્યુ હતું, શેરડીના સાંઠા જેવો તેનો પ્રોગ્રામ છે આજનો. માંડ રસ આવે ત્યાં વચ્ચે ગાંઠ નડે! એમના પ્રોગ્રામની વચ્ચે આવતા વિક્ષેપોને આમ વર્ણવ્યા એમણે. વચ્ચે શિવ સ્તુતિ ને ભારતીબેન ને કયારેક કોઈક એનાઉન્સમેન્ટ્... ભીખુદાનભાઈએ બે એકવાર ગુણવંત શાહને ટાંક્યા એમના પોગ્રામમાં જે એક નોંધ સ્વરુપે.

    ચિક્કાર ઑડિયન્સ વચ્ચે સાડા ચાર વાગ્યા પછી પુરો થયો આ પોગ્રામ.સવારના દસથી સવારના સાડાચાર !! ચાલો આવજો ચાલો ગુજરાતના ત્રીજા દિવસના પોગ્રામમાં!

    Thursday, September 4, 2008

    Darsh @School: Day 1

    આજે દર્શે નિશાળનું પગથિયુ જોયુ! હા, એનો પહેલો દિવસ એટ સ્કૂલ. એક જમાનો હતો જ્યારે અમારા ગામડા-ગામમાં નવા લૂગડા પહેરાવી; કપાળે સરસ ઘાટો રાતો ચાંદલો ને માથે ચોખા લગાવી; નવી પાટીમાં સાથિયો પાડી; હાથમાં સાકરનો પડો, શ્રીફળ ને મિઠાઈ લઈ વડીલ પેલા દિવસે મુકવા જવાનો રિવાજ હતો!

    આજે, અમને પધરાવેલા લિસ્ટ મુજબની વસ્તુઓ જેવી કે ચાદર, નાનું ઓશિકું, બાળ ટૂથ-પૅસ્ટ, ઓઢવાની શાલ વગેરે લઈને સ્વીટી મૂકી આવી છે. અઢી વાગ્યે ખબર પડશે ભાઈનો પેલ્લો દિ કેવો ગ્યો.. કેટલું રડયા, રમ્યા, રળ્યા...

    ‘દાખલા’રૂપ શિક્ષક

    દિવ્યેશ વ્યાસનો આ દિવ્ય ભાસ્કરનો લેખ સ્પર્શી ગયો.. એક કારણ એ ખરું કે આ એ જ નિઃસ્વાર્થ મમતાળુ પ્રોફેસર છે, જેમની સાથે ગણિત-ગમ્મતો કરવાનો, શીખવાનો મને મોકો મળ્યો. આ એ સર છે; જેમને લીધે મને વિક્ર્મ સારાભાઈ સેન્ટરમાં સેવા કરવાનું મન થયેલું ને તેની બધી પ્રાવેશિક પરીક્ષાઓ પણ સફળતાપૂર્વક પસાર કરેલી; આ એ જ સર છે, જેમને મળવાના બહાના હેઠળ શહેરની સૌથી કડક કૉલેજ ઝેવિયર્સમાં લૅકસર બંક કરતા! કૉલેજના કોઈ પ્રોફેસર કયારેય કોઈ જાતની માથાકૂટમાં ના પડે, બસ રાવસાહેબનું નામ કાફી હતું; હાવિ થઈ જતું; એવું હૅવિ આ નામ!

    એક પ્રસંગ યાદ આવે છે. ગુજરાતમાં દર વર્ષે ભરાતા ગણિત અધિવેશનમાં એક કાર્યક્રમ હોઈ છે પઝલ્સનો. જેમાં ગુજરાતભરના ગણિતના શિક્ષકો, પ્રાધ્યાપકો અને ગણિતના તમામ રસિયાઓને પહેલા દિવસે અપાયેલ ગાણિતિક કોયડાઓ ઉકેલે. એક ભૂમિતિનો કૂટપ્રશ્ન હતો, જેમનો ઉકેલ કોઇ પાસે ન્હોતો.. છેલ્લે, રાવસાહેબને આ ઉકેલવા વિનંતી કરવામાં આવી. સાહેબ! આ ઘરડા ડોસાએ સહજતાથી, સ્ફૂર્તિપૂર્વક એ કોયડાના અલગ-અલગ ૪-૫ ઉકેલ બોર્ડ પર સમજાવી બતાવ્યા!! આ પરિષદમાં ગણિતના તમામ ખાં સાહેબો અમારી આજુ-બાજુ બેઠેલાં હતાં, એટલે એવું ના માનશો કે ગામ ઉજ્જડ હતું!

    સલામ સાહેબ તમને, તમારા આ અદના વિધ્યાર્થીની. ઘણું જીવો! તમારો શતાબ્દી મહોત્સવ ઉજવવાનું કોઈને સૂઝે અને એમાં મારા તરફથી શક્ય એટલી મદદ થશે તો કદાચ 'બે સેન્ટ' ઋણ ચૂકવાશે.

    Wednesday, September 3, 2008

    World Gujarati Conference Chalo Gujarat (Day 1)

    ત્રણ દિવસ સુધી હજારો ગુજરાતીઓ એક સભાખંડમાં કલાકો સુધી ગુજરાતીપણાના જામ પીયે ગયા.. દરેક ક્ષેત્રના જાણીતા ગુજ્જુઓ મંચ પરથી ગુજરાતની અસ્મિતા, સંસ્કારિતા, ખમીરી, ખુમારી, વૈભવ જેવી વાનગીઓ જે પીરસી રહ્યા હતા. આજે માંડીને વાત કરવી છે, આ ત્રણ દિવસના 'ચાલો ગુજરાત' મહોત્સવની. મહિનાઓ અગાઉથી લગભગ દરેક ગુજરાતી બ્લોગ મિત્રોના બ્લોગ પર આ મહોત્સવની કહો કે જાહેરાત ચમકતી ચાલુ થઈ ગઈ હતી, જે હજી લગભગ અક્બંધ છે! ભઈલાઓ હવે નિકાળો એ જાહેરાત, એ ઉત્સવ પુરો થઈ ગ્યો.. અને આ લેખ તમારા બ્લોગમાં ચીપકાવો! તમને સવિસ્તાર વર્ણવીશ એ ઉત્સવ અહીં.

    શુક્રવાર (૨૯મી ઓગ્સ્ટ, ૨૦૦૮)ની સાંજથી ન્યુ જર્સીના એડિસન શહેરના એક ઔદ્યોગિક (સ્પેલિંગ માફ ! Thanks Japan for the correction)વિસ્તારમાં આ ગુજરાતી મેળાવડો ચાલુ થયો. આપણા ભારતીય સમયનું પુરુ પાલન થયુ, ૩ વાગ્યે શરુ થનાર આ કાર્યક્રમ લગભગ ભારતના ૩ વાગ્યે ચાલુ થયો! આઈ મીન, અઢી કલાક જેટલો મોડો! બે રીતે ભારતીયતા જળવાય રહી !! પણ, મારી જેવા ઘણા બધા ઑફિસથી સીધા અહીં ટપકવાના હતા, તેમને ફાયદો થયો. મને પહેલેથી જ થતું હતું કે આટલી મોટી મેદની બેસશે કયાં? શમિયાણા હશે કે હૉલ..વગેરે. લગભગ અડધો માઈલ દૂર ગાડી મુકવાની માંડ જગ્યા મળી. ચાલતા હૉલ પર પહોંચ્યો, પણ ઉત્સુકતા તો એ જ જણવાની હતી કે આટલા બધાને અમેરિકામાં કેવી રીતે સમાવાય છે.. એ મહકાય હૉલમાં પ્રવેશતા જ સમજાયુ... જોયુ એક ગુજરાતને સર્જાતું... હજુ ઘણી જગ્યાઓ ખાલી હતી. પાંચ વાગી ચુક્યા હતા. લોકોનૂં આવવાનું બા-આદબ જારી હતું. ક્યાંય ઇંગ્લિશ કે હિન્દી અક્ષર સંભળાતો ન્હોતો. બધુ સંપૂર્ણ ગુજરાતમય બની ચૂકયુ હતું. પરદેશમાં. કેટલીય ખુરશીઓ પર લાંબા પાથરેલા દુપ્ટટાઓ એકસાથે ૪-૫ જગ્યાઓ રોકવા સક્ષમ હતા. કેટલાય પરિચિતો મળી જાય અને 'કેમ છો?', 'હમણા દેખાતા નથી' જેવો કોલાહલ, રોજે પેન્ટ્-શર્ટમાં નોકરી કરતી યુવતીઓ/સ્ત્રીઓ આજે ડ્રેસમાં અને કેટલાક પુરુષો ઝભ્ભામાં જોવા મળતા હતા. મંચ પર ખાસ શણગાર ન હતો, પણ ત્રણ સ્ક્રીન સહુનું ધ્યાન ખેંચવા સક્ષમ હતી. આ સિવાય પણ બીજી ચાર સ્ક્રીન હૉલમાં મુકાયેલ છે.

    મહોત્સવનું ઉદઘાટન કરીયે એ પેલા મારા ગુજરાતમાં બેઠેલા મિત્રોને થોડી ભૂમિકા આપી દઉં. જ્યારે મોદીજીને વિઝા ન્હોતા મળ્યા, એનો વિરોધ કરવા AAINA સંસ્થા ઉભી થયેલી ને પછી ૨૦૦૬માં સફળ ગુજરાતી કોન્ફરન્સ યોજેલ. આ વર્ષે એમને ફરીથી આંમત્રણ મોકલાયુ, પણ કદાચ વિઝા નહિ મળવાની બીકે મોદી વિઝા લેવા ગયા નહિં. મહિનાઓ અગાઉ અહિના ગુજરાતી છાપાઓમાં પ્રસિધ્ધ થતી જાહેરખબરોમાં હાજર રહેનાર મહાનુભાવોનું બહુ લાંબુ લિસ્ટ આવતું હતું, પણ છેલ્લી ઘડીએ ઘણા બધા ફસકી ગયેલા જણાયા. જેમ કે મોરારિબાપુ, મુકેશ અંબાણી, પરિમલ નથવાણી, શાહબુદ્દીન રાઠોડ, પાર્થિવ પટેલ, ઇરફાન પઠાણ, દેવાંગ પટેલ વગેરે. આમાના કોઈને વિઝાનો પ્રશ્ન નડે એમ નથી. પણ ઘણા બધાએ આવા જ કોઈને સાંભળવા ટિકિટો ખરીદી હતી. જો કે ટિકિટ અહિં યોજાતા બીજા કાર્યક્રમો કરતા ઘણી સસ્તી હતી. એક નાટકની ટિકિટ ૧૫-૨૦ ડૉલરથી ચાલુ થતી હોઈ છે, (જે ૭૫ સુધી સહેલાઈથી જતી હોઈ છે!) તેની સામે ૩ દિવસના આ મહોત્સ્વની ટિકિટ ફક્ત ૩૦ ડૉલર હતી.

    બૅક ટુ ધ સ્ટેજ નાઉ! આ સ્ટેજ સંભાળવાનું કામ પણ એક કળા માંગી લેતું કામ છે. આ કામ સોંપાયુ છે હિના સક્સેનાને ! મેં ભલે પેલીવાર નામ સાંભળ્યુ આમનું પણ સહેલાઈથી કોઈને પણ સ્પર્શી જાય એવું જાજરમાન ગુજરાતી વ્યકિત્ત્તવ! સાડી અને ગુજરાતી ઘરેણામાં સજ્જ આ મનોવિજ્ઞાનના (સ્પેલિંગ માફ, ઘણી મહેનત છતા નથી લખાઈ સાચી જોડણી - નોંધઃ મનીષભાઈની કોમેન્ટમાંથી કોપિ કરી આ અને બીજા સ્પેલિંગ સુધારી લેવાયા છે, આભાર મનીષભાઈ! જો કે મારૂ એડિટર તો હજુ આ લખવા ટૂંકુ જ પડયુ.) આ પ્રોફેસર પ્રસંગનું ઘરેણું બની રહ્યા. એમનો સુંદર અવાજ, અને એથીય સુંદર સ્મિત વેરતી રજુઆત. એમણે બિરાજમાન મહેમાનોને સ્ટેજ પર આમંત્રણ આપ્યુ દિપજ્યોત પ્રાગટય થકી કાર્યક્રમને ખુલ્લો મુકવા. કેટલાક નામો યાદ છે એવા, સંત શ્રી માધવપ્રિયદાસજી, ડૉ. જગદીશ ભગવતી, અધ્યાત્માનંદજી, સ્વામી અવિચલદાસજી, શંકરસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, સૌરભ દલાલ, વગેરે. એક સાઈડનોટઃ થોડા સમય પહેલા માધવપ્રિયદાસજી અહિં આવેલા ત્યારે એમણે મંગળ ઉદઘાટન કરી જ દીધુ હતું! આજે એ ફરીથી હાજર રહી શક્યા. મહાનુભાવોએ દિપજ્યોત થકી વિશાળ જનમેદનીની હાજરીમાં પ્રસંગની વિધિવત શરુઆત કરી.

    માફ કરશો કોઈ તમારા લાડિલા મહાનુભાવનું નામ લેવાનું ચૂકી જાવ તો, માફ કરશો કોઈના વિશે સારુ ના લખી શકુ ત્યારે. મને જેવું લાગ્યુ એવું લખ્યું છે, આ કંઈ પૈસા લઈને લખેલ રિપોર્ટ નથી કે મારે કોઇનો પક્ષ લેવાનો હોય કે વિરોધ કરવાનો હોય. લાગ્યુ એવું જ લખ્યુ! સીધૂ ને સટ! તડ ને ફડ! ના તો હું કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ છું! મને માખણ મારતા આવડતું નથી ને શીખવાની કોઈ અદમ્ય ઈચ્છા પણ નથી.

    હવે સ્ટેજ પરથી અમેરિકાનું રાષ્ટ્રગીત, યા હોમ ગુજરાત, અને વંદે માતરમ ગીત રજુ થયા. યા હોમ ગુજરાત પાર્થિવ ગોહિલે રમતું મૂક્યુ. વંદે માતરમની રજુઆત પણ ખુબ આકર્ષક રહી. યુવાનોએ ત્યાર કરેલ આ ગીતની કોરિયોગ્રાફિ ધ્યાનાકર્ષક રહી. અમેરિકન રાષ્ટ્રગીત પણ ખુબ જ સરસ ગાયુ એક ગુજરાતી છોકરીએ. સાંભળીને કોઈ ના કહે કે આ ગુજરાતી અવાજ છે! હવે એક ના ઘટવાનું ઘટયું. ત્રણ દિવસના કાર્યક્રમમાં ન્હોતો એવો એક નાનો શો કાર્યક્રમ યોજાય ગયો.. જેવું અમેરિકાનું રાષ્ટ્રગીત પત્યુ એટલે ઘણાને મનમાં થયુ હશે કે ભારતનું કેમ નહિં? અને ઇન્ડિયા લીડ ફૅમ દેવાંગ નાણાવટીથી ના રહેવાયુ. સ્ટેજ પર આવી લલકારી ગયા 'જન ગન મન... ' આને તમે દેશદાઝ કહેશો કદાચ. પણ એક મિનિટ.. રાષ્ટ્રગીત હોય કે રાષ્ટ્રધ્વજ એની આમન્યા ના જાળવવાના હો તો બહેતર છે કે રાષ્ટ્રગીત ના ગવાય કે ધ્વજ ના ફરકે. આપણા રાષ્ટ્રગીતને આટલી ખરાબ રીતે ગવાતું મેં કયારેય જોયુ નથી. ગીતની કઢી કરી નાખી. મારી જેવા કેટલાય ખિન્ન થઈ ગયા હશે. પણ ખામોશ રહેવાનું ઉચિત હતું. ઇન્ડિયા લીડના હિરો વિષે જ્યારે ટાઈમ્સમાં વાંચતો ત્યારે કેટલિયે પ્રદેશભાવના કે ગુજરાતભકિત ઉભરાય હતી, એ બધીનો ભાગાકાર શૂન્યથી થઈ ગયો! આ ગીત ૫૨ (52) સેકન્ડસમાં ગાવાનું હોય છે, એવું તો મારા ગામના અભણ શિક્ષકોનેય ખબર હતી!

    વૅલ, આગળ વધીએ. હવે માઈકનો માણિગર છે અંકિત ત્રિવેદી. એમને ૨૦૦૬માં જેમણે પણ માણ્યા છે, એ બધા ફરીથી સાંભળવા જરુર તલપાપડ હશે. મેં એમને ઘણા મંચ-સંચાલનમાં જોયા છે, માણ્યા છે. એક માણવાલાયક કવિ! એમણે બીજા દિવસે કહ્યુ ત્યારે ખબર પડી કે આ તો હજી ૨૬ વરસનો અપરિણિત યુવક છે ! પણ મજાનું બોલે છે, લખે છે! બહાર ગોઠવાયેલા સ્ટૉલ્સમાંથી એમના બે પુસ્તકો પણ મેં ખરીદ્યા. એમણે ઇજન આપ્યુ આઈના પ્રેસિડન્ટ સુનિલ નાયકને, બે શબ્દો હવામાં ફેંકવા! હ્દયસ્પર્શી આભાર માન્યો સર્વેનો એમણે, અને એમની ટીમનો; અથાગ પરિશ્રમથી આ દિવસના દર્શન કરાવવા બદલ. ખુબ જ ટૂંકમાં ઘણુ સરસ કહી ગયા, અંગ્રેજીમાં.

    હવે ઘણા બધા ભાષણોનો સમય હતો, પ્રથમ હતા ડૉ. જગદીશ ભગવતી. એ આજના મુખ્ય મહેમાન છે અને વિશ્વના જાણીતા અર્થશાસ્ત્રી છે. પણ મોટા ભાગના પ્રેક્ષકો એમના નામથી અજાણ દેખાતા હતા! એમને સાંભળવામાં પણ લોકોને રસ ન્હોતો લાગતો. પોતાના સ્નેહીજનોની જોડે વાતોમાં મશ્ગુલ પ્રેક્ષકો વચ્ચે કોઇને ખરેખર સાંભળવા હોય તોયે ના સંભળાય એવા હાલ હતા. એમણે મુખ્યત્વે ગુજરાતની ખમીરીની વાતો કરી. એમને હજી ગુજરાતી આવડે છે, એ જાણી આનંદ થયો. એક એવા સપૂત જેમણે ગુજરાતનું નામ ખરા અર્થમાં ઉજાળ્યુ છે. આપણી રાહ રહેશે, ડૉ. ભગવતી નોબેલ જીતી લાવે તેની! ઘણીવાર એમનું નામ ચર્ચાય ચૂકયુ છે,નોબેલમાં નોમિનેશન માટે. આશા રાખીયે ગાંધીજીની જેમ ભગવતી ફક્ત નોમિનેશનથી અટકે નહીં, નહિ તો ફરીથી કોઇ ગુજરાતી નોબેલની આટલો નજીક આવે એવું દૂર સુધી દેખાતું નથી.

    પછી ઘણા બોલ્યા, મને બધા યાદ પણ નથી. હું કેટલાક કાર્યક્રમોને અહિ સ્થાન આપી જગ્યા અને શાહી નહિ બગાડું, હવે પછીના 'ચાલો ગુજરાત'માં પણ કદાચ જ એમને સ્થાન મળે. વચ્ચે વચ્ચે સ્પોન્સર લોકો સ્ટેજ પર પોતાનો પ્રભાવ પાથરવા આવતા હતા, કયારેક તેમની જાહેરાત સ્ક્રીન પરથી પથરાતી હતી, પણ એ બધુ આપણે યાદ રાખતા નથી! એક ત્રણ પડદા પર ભજવાતી ફિલ્મ રજુ થઈ પણ એમાં કંઇ દમ હતો નહીં. ગુજરાતના વિવિધ સ્થળો વિષે માહિતી આપવાનો પ્રયત્ન હતો આ મુવીમાં. એક સરસ મા શકિતનો ડાન્સ રજુ થયો. કેટલીક જગ્યાએ ક્ર્મ જળવાયો નથી માફ કરશો, કેમ કે મારી યાદ-દાસ્ત પરથી આ લખી રહ્યો છું.

    મિનવ્હાઈલ, સ્ટેજ પરના ત્રીજા સંચાલક રેડિયો મીર્ચી ફૅમ ધ્વનિત ઠાકર પણ આવી ગયા હતાં. મને ખાસ જામ્યુ નહિ એના કલબલાટમાં. પણ લોકો પેલા બે દિવસ એ કે ત્યારે તાળી પાડતા રહ્યા હતાં એટલે ઇન જનરલ લોકોને બેએક દિવસ માટે તો આ અવા ચહેરો ગમ્યો હશે. પણ એમની પૂઅર કોમૅન્ટસથી મને ખાસ મજા ના આવી. રેડિયોમાં પુછે એમ અહીં પણ સવાલો પુછ્યા કરે અને દોડદોડ કરી લોકોના જવાબ માઈકમાં લેવા જાય. 'ગુજરાતી ટીન-એજ'ના વર્ગમાં કદાચ આ 'ઘોડુ દોડે' (કહેવતના સંદર્ભમાં લેશો, બાકી મારી કોઈ હેસિયત નથી આ સરસ નામને બગાડવાની!. ), બાકી તો કોઈ પણ થોડા સમયમાં કંટાળે. પણ જેમ છેલ્લા દિવસે બકુલ ધોળકીયાએ નોંધ્યુ તેમ, ખુબ યંગ ટેલેન્ટને ખુબ મોટુ પ્લૅટફોર્મ મળ્યુ. મારે ઉમેરવું રહ્યુ કે, ધ્વનિત સિવાયની બધી યંગ ટેલેન્ટ પ્લૅટ્ફોર્મ પ્રમાણે ટેલેન્ટ પિરસી શક્યા!

    સાંજે જમવાનૉ સમય થયો અને આપડા બાપડાઓ ૨૦૦૬ની ગુજરાતી કોન્ફરન્સ પછી જમ્યા ના હોય એમ તૂટી પડ્યા. આટલી ટોળાશાહી મેં કયારેય આ દેશમાં જોઈ નથી. ગજબની ભીડ. કોઇ કચરાય ના જાય એવી બીક લાગી મને, જો કોઈ ઈજાગ્રસ્ત પણ થાય તો ચોક્કસ બાકીના દિવસોના પ્રોગામ્સ બંધ રહે. જમવાનું પતવામાં હતું ત્યારે જમવા જવું ઉચિત હતું. ૮-૧૦ હજાર માણસોનું રસોડું છતા ખુબ જ સરસ રસોઈ, અને એ પણ લગનમાં પણ ના હોઈ એટલી આઈટમ્સ સાથે! સ્વયંસેવકોની પ્રશંસા કરીયે એટલી ઓછી. આપણે ત્યાં જેમ યુવક મંડળ હોય છે, એમ અહીં પણ આપણા ગુજ્જુ ભાઈઓએ એક મંડળ બનાવ્યુ છે એમની સેવા રસોઈ વિભાગને મળી છે. લગભગ ૫૦ સ્વયંસેવકો ખંતથી જમાડે છે બધાને. આવી જ સેવા, પાર્કિંગ વિભાગમાં અક્ષરપુરૂષોત્તમ સંસ્થાના કાર્યકરોએ કરી. રસોઈની વાત નીકળી છે તો એ પણ જણાવી દઉ 'રજવાડુ' અમદાવાદની ૪૦-૫૦ની ટીમ આવી છે અને ઉત્તમ ભોજનનો રસાસ્વાદ કરાવ્યો. એમને સાથ આપ્યો લોકલ કેટરર 'ચોપાટી'એ.

    રાતના બહુ જ સરસ પ્રોગામ થયો, નામ હતુ તેનું 'સૂર ગુલાબી સાંજ'. મંચ સંચાલન હવે ગજાવશે તુષાર શુક્લ. સુગમ સંગીત અને કવિ સંમેલનોમાં સાંભળેલો અવાજ ઘણા સમય પછી સાંભળવા મળ્યો. દરેક શબ્દને તોળીને, શબ્દની મહત્તમ સુગંધ રેલાવી દે એનું નામ તુષાર શુક્લ. હાજર હતા ગુજરાતી સંગીતના માંધાતાઓ પુરૂષોત્તમ ઉપાધ્યાય, આરતી-શ્યામલ-સૌમિલ મુનશી, સંજય ઓઝા, આસિત-આલાપ દેસાઈ, ઐશ્વર્યા મઝમુદાર, મૌલી દેસાઈ, અને બીજા એકાદ-બે કલાકારો. બધા કલાકારો દિલ દઈને વરસ્યા. અત્રે બે-ચાર નોંધ લેવી ઘટે. સંજય ઓઝા અને ઐશ્વર્યાને 'વન્સ મોર' સાંભળવાનું નસીબ થયુ. આસિત દેસાઈએ 'હુ તુ તુ તુ...' ગાઈ ધુમ મચાવી. સંજય ઓઝાએ 'અમે અમદાવાદી..' અને 'તારી આંખનો અફિણી...' ગજાવ્યા તો વળી ઐશ્વર્યાએ 'દિકરી તો પારકી થાપણ કે'વાય' થકી વાતાવરણ ડોલાવ્યુ. મૌલી દેસાઈએ પણ નાવિન્યસભર કૃષ્ણગીતથી ચાહના મેળવી. તુષાર શુક્લે એક સરસ વિચાર રમતો મેલ્યો. બંગાળમાં જેમ 'રવિન્દ્ર સંગીત' છે એમ ગુજરાતને 'અવિનાશી સંગીત' જેવો પોતિકો શબ્દ હોવો ઘટે! આમ કહી આજની સાંજ અવિનાશ વ્યાસને અર્પણ કરી. બેએક ગીતો બાદ કરતા બાકીના બધા ગીતો અવિનાશ વ્યાસના હતા.

    અને હવે એકાદ-બે મારા નીરિક્ષણો કેટલાક કલાકારો વિષે. શ્યામલ મુનશી પોતે વ્યવસાયે ડૉકટર છે, એ મને આ કાર્યક્રમમાં જાણવા મળ્યું.આરતી-શ્યામલ-સૌમિલની એ તસવીર લેવાનૂં ચૂકાય ગયુ જેમાં તેઓ પોતે જાતે પોતાની સી.ડી. કેસેટસ વેચતા હોય, સ્ટોલ પર ઉભા રહીને!! આમા મને કશુ ખરાબ નથી લાગતું પણ નવીન જરૂર લાગ્યુ છે! પણ જે ખરાબ લાગ્યુ છે એ નીરિક્ષણ હવે. એ છે ગુજરાતી સુગમ સંગીત અને ગુજરતી ફિલ્મ સંગીતના પિતામહ પુરૂષોત્તમ ઉપાધ્યાય વિષે. એમની સ્ટેજ એટિકૅટ બહુ સારી ન હતી. સંજય ઓઝાને વન્સ મોર થયુ તો એમણે કોમૅન્ટ કરી કે, તમે બધાને બે વાર સાંભળશો તો સવાર પડશે. પણ જ્યારે તેની શિષ્યા ઐશ્વર્યાને વન્સ મોર મળ્યુ ત્યારે હરખાતા હરખાતા ગાવાનું કહ્યુ અને એક કોમૅન્ટમાં ઐશ્વર્યાને બિરજુ બાવરા અને તાનસેન જોડે સરખાવી! બધાને બરાબર સંભળાતું હતું જ્યારે તેઓ પોતે ગાઈ રહ્યા હતા, છતા માઈકનો અવાજ વધારવાનું વારંવાર કહ્યે રાખ્યુ. જ્યારે અવાજ અસહ્ય થયો ત્યરે પ્રેક્ષકોએ 'હુરિયો' (આઈ રીપિટ 'હુરિયો') બોલાવ્યો. માઈકનો અવાજ ફરીથી ઘટયો અને સાથેસાથ એમનો દબદબો પણ! નોંધવું જરૂરી છે કે ના તો એમણે ગાયેલા ગીતોમાં તાળીઓ પડી, વન્સ મોર તો બહૂત દૂર કી ચીઝ થી ! પણ એમણે આપેલા યોગદાનનું ગુજરાત હમેંશા ઋણી રહેશે એ સહર્ષ સ્વીકારૂ છું.. આવી નાની ઘટનાઓ એમના વિરાટ યોગદાનની કાંકરી પણ હલાવી ના શકે.

    રાત્રે દોઢ વાગ્યે સુગમ સંગીતનો પ્રોગામ પત્યો! બધાએ બહુ રસથી માણ્યો આ પ્રોગામ. મને તો જલસો પડી ગયો...

    હવે પેલા દિવસે નોંધાયેલ થોડી વાતો સંક્ષેપમાં.

    ન્યૂ જર્સી સ્ટેટ ગવર્નર જ્હોન કોરઝાઈન પણ પધારેલ અને પ્રાસંગિક પ્રવચના કરેલ પણ કોઈએ ધ્યાનથી સાંભળેલ નહીં, અને બે-ચર વાર ખોટી ( આઈ મીન કૃત્રિમ) તાળીઓ પણ પાડેલ!

    ન્યૂ જર્સી સ્ટેટે ૨૯ ઑગસ્ટને ગુજરાતી દિન જાહેર કરેલ! મારે રિસર્ચ કરવાનું બાકી છે કે આની અગત્યતા કેટલી છે, વર્ષે દા'ડે કેટલા 'ડે' જાહેર કરાય છે વગેરે.

    સભા ખંડ સારા કાર્યક્રમ દરમિયાન ફૂલ ભરેલો રહેતો હતો, અને બાકીના સમયમાં લોકો બહાર ગોઠવાયેલા સ્ટોલ્સ પર સમય પસાર કરતા હતાં.

    પ્રવચનોમાં એક હતું, સૌરભ દલાલનું. સૌથી બોરીંગ. મને એ જાણીને દુઃખ થયુ કે આ આપણા ઉદ્યોગમંત્રી છે. છાપામાં નામ વાંચવા મળતું પણ પેલી વાર સાંભળવા મળ્યા. નો સેકન્ડ ટાઈમ, પ્લીઝ.

    શકિતસિંહ ગોહિલે ખુબ સરસ વ્યકતવ્ય આપ્યુ, લોકોને હસાવ્યા પણ ખરા ને વારંવાર તાળીઓ પણ પડાવી.

    લોકોને લેઝર શોમાં ખુબ મજા પડી. લેઝરથી ગાંધીજી, સરદાર વગેરેની કૃત્તિઓ ઉભી કરાયેલ.

    ધેટસ ઈટ ફ્રોમ ન્યૂ જર્સી ફોર ધ ડે! આપની સમક્ષ પ્રસ્તુતિ અલ્પેશ ભાલાળાની. ટૂંક સમયમાં હાજર થઈશ બાકીના કાર્યક્રમોના રસપાન સાથે.