Showing posts with label Gunavant Shah. Show all posts
Showing posts with label Gunavant Shah. Show all posts

Thursday, October 30, 2008

સરદાર પટેલ સેવા સમાજ

છાપુ વાંચતા સ્મરણ થયુ અમારી હોસ્ટેલનું, જ્યાં લગભગ પોણા દસકા માટે રહેવાનું થયુ. દર વર્ષે સરદાર પટેલ જયંતિ જરુર ઉજવાય. કેડિલાવાળા (સ્વ.)રમણભાઈ પટેલની (સંસ્થાના મુખ્ય ટ્ર્સ્ટીના નાતે) હાજરી, સ્વામી સચ્ચિદાનંદનું પ્રવચન, એકાદ રાજકારણી જેવા કે દિનશા પટેલનું પ્રવચન, દૂરદર્શનના કેમેરામેનો, સંસ્થાના સભ્યો ( જે મોટા ભાગે જમવાના સમયે આવતા એટલે અમને સ્વામીજીને શાંતિથી સાંભળવા મળતા) અને હોસ્ટેલના વિદ્યાર્થીઓ.. આ દર વરસનો ૩૧ ઑકટોબરનો ફિક્સ પ્રોગામ હતો. કયારેક અમે સરદાર પટેલ પરના પુસ્તકો વેંચવા પણ ઉભા રહેતાં. એકાદવાર સ્વામીજીએ ટકોર કરેલી કે તમે લોકો દર વર્ષે મને જ બોલાવ્યા કરો છો તો કયારેક બીજા કોઈને પણ તક આપો.. અને આ વર્ષે આવું જ કંઈક બન્યૂ છે. ગુણવંત શાહ આ બાગડોર સંભાળવાના છે! આશા રાખીએ કે શાહ સાહેબ સ્વામીજીના તેજાબી પ્રવચનોનો ચીલચીલો જાળવશે. જો કે આ પ્રવચન નથી પણ લોકો તો તેમને સાંભળવા જ આવવાના છે ને ભઈ..


જો જો રખે ચૂકતા ...

અને સરદાર પટેલ સમાજના આંગણે વાળુપાણી પણ ખરા..(અમદાવાદમાં સંસ્થા છે એટલે આ છેલ્લી લાયન ખાસ લખવી પડી છે!)

Tuesday, September 2, 2008

પોઈન્ટસ ટુ બી નોટેડ : ગુણવંત શાહ

મને શાહ સાહેબની આ પંચલાયન બહુ ગમે છે, જે તેઓને પણ કદાચ બહુ ગમે છે, એટલે નિયમિતપણે લખતા રહે છે.
"માણસ ઉપગ્રહો છોડી શકે છે, પણ પૂર્વગ્રહો નથી છોડી શકતો."

નવી સર્જાયેલ પંચલાયન પણ ગમી,

"જગતના બધા ધર્મોમાં કયાંક તો ‘આસારામતત્ત્વ’ હાજર હોય જ છે."

Wednesday, August 20, 2008

Points To be noted : Gunavant Shah

Points To be noted... from last Sunday article of Gunavant Shah

વલસાડ પંથકમાં સદ્ગત દિનકર પંડયાની જીવનસુવાસ સચવાયેલી છે. એમની ‘આત્મકથા’માં હરિપુરા કોંગ્રેસ (૧૯૩૭) મળી તે માટેની તૈયારી સાથે જૉડાયેલો નાનકડો પ્રસંગ સરદારના અસલ મિજાજને પ્રગટ કરનારો છે : ‘હરિપુરા કોંગ્રેસ અધિવેશનનું કામ ખૂબ જ જૉશથી ચાલતું હતું. સ્વયંસેવકોને જમવા માટે રસોડું ચાલુ થઇ ગયું હતું. ગુજરાતીઓ મૂળે હિસાબી માણસ, તેમાં વળી લોકોના પૈસા વાપરવાના એટલે રસોડાનું ખર્ચ ઓછું કરવા તરફ કંઇક નજર રહેતી. એક વખત સરદાર આવેલા. તેમની આગળ રસોડાની વાત નીકળી. પહેલા મહિના કરતાં રસોડાખર્ચમાં માણસદીઠ એક રૂપિયો ઓછો થયો હતો. તે વાત પણ તેમને કહી, તે તરફ તેમણે લક્ષ આપેલું નહીં. કામ કરનારા બધા જ માણસો જાણીતા અને નાણેલા હતા.

વોલંટિયરો સાંજે જમતા હતા તેવામાં વલ્લભભાઇ ત્યાં આવી ચઢયા. ફાનસો સળગી ગયાં હતાં. સરદાર ફરતા હતા તેવામાં એક જણે ઉધરસ ખાધી. ખાંસી થયેલી હતી. અલ્યા ખુ ખુ કેમ કરે છે? વલ્લભભાઇએ પૂછ્યું. આખો દિવસ કામ કરીને થાકી મરીએ અને સાંજે તેલનાં પૂરિયાં ખાવા મળે એટલે શું થાય? એક સુરતીએ સંભળાવ્યું. સુરતી ભાષા પણ વલ્લભભાઇ જેવી જ તળપદી હતી. વલ્લભભાઇ સમસમી ગયા અને અવાજ ફરી ગયો. વ્યવસ્થાપકો પાસે જઇને કહ્યું : તમે મને બપોરે રસોડાખર્ચમાં એક રૂપિયો ઓછો, એવી વધામણી ખાધી હતી ને? આવું કરીને ખર્ચ ઓછું કરો છો? વોલંટિયર આપણા હાથપગ. તે ઢીલા પડશે તો કોંગ્રેસની નાવ કાંઠે કેમ પહોંચશે? તમારો હિસાબ કોઇ પૂછનાર નથી. પૈસા લાવનાર હું બેઠો છું. કોઇ ખૂબ ખાઇને મરવા પડે તો મરવા દો. એને બાળવાનાં લાકડાં હું લાવી દઇશ.’ (ગાંધીયુગનાં સંસ્મરણો, સં.અંજના મહેશ દલાલ, પ્રવીણ મહાલ, હાલર રોડ, વલસાડ-૩૯૬૦૦૧)

********

‘તમારા આ રળિયામણા દેશમાં આવ્યે મને સાડાપાંચ વર્ષ થયાં. ગુજરાતમાં ઘણા ગુણો છે- તીવ્ર સામાન્ય બુદ્ધિ, ધંધાદારી આવડત, ઉધમ અને કરકસર. તમારા ચારિત્ર્યમાં રહેલાં નિશ્ચયબળ અને દૃઢતા મારી નજર બહાર રહી શકયાં નહીં. મને શંકા નથી, કે ગુજરાતમાં જૉ પેટે ચાલવાનો હુકમ ફરમાવવામાં આવ્યો હોત તો, દૂબળા-પાતળા અને તુરછ દેખાતા વાણિયામાંથી કેટલાક તો એવા નીકળત કે જે, સંગીનની અણી એમની સામે ધરવામાં આવી હોત તો પણ એ હુકમનો અનાદર કરત. સ્વભાવમાં રહેલી આ દૃઢતાએ મને આકષ્ર્યોઅને તમારી અહિંસાએ પણ. પશુ, પંખી, માછલાં અહીં છે તેના કરતાં વધુ છૂટથી અને ઓછા ડરથી ફરી શકે એવું દુનિયામાં બીજું કોઇ સ્થળ નથી. તમારા સ્વભાવમાં રહેલી લાગણીમયતાથી પણ હું આકર્ષાયો હતો. આ બધાથી હું તમારી વધુ નજીક આવતો ગયો, તે એટલે સુધી કે કેટલાક વખતથી હું મારી જાતને ગુજરાતી માનવા લાગ્યો છું. આનાથી હું ગર્વ અનુભવું છું.’ આચાર્ય કòપાલાની (મહાદેવભાઇની ડાયરી’ ભાગ-૧૨માંથી)

Monday, August 11, 2008

Hindu Guru(s)

"...વિશાળ સભામંડપમાં ઘૂઘવતો અંધશ્રદ્ધાનો સમુદ્ર તમે જોયો છે? પોતાના અસંખ્ય અનુયાયીઓની ધેટાંગીરી હવે કોઇ ગુરુજીને સ્વસ્થ રહેવા દે તેમ નથી. ઉપદેશકો ઉધોગપતિઓની માફક વૈભવમાં રાચે છે. વૈભવ અને વૈરાગ્ય વરચે ચાલતી દોરડાખેંચમાં વૈરાગ્ય હારી જાય છે. જે ગુરુ પર એન.આર.આઇ. ચેલાઓ આફરીન થાય તે ગુરુ ન બગડે એ શકય જ નથી બધો વાંક ગુરુજીનો નથી હોતો. હિંદુ સ્ત્રીઓનો સૌથી પ્રિય શણગાર એટલે સુંદર સાડીમાં વીંટળાયેલી અપ્રદૂષિત અંધશ્રદ્ધા!..."

આ શબ્દો છે, લેખકશ્રી ગુણવંત શાહના. જે ગુરુ પર એન.આર.આઇ. ચેલાઓ આફરીન થાય તે ગુરુ ન બગડે એ શકય જ નથી, આ વાત પર મારે એક આખો આર્ટિકલ લખવો છે. પછી કયારેક. વાંચો ગુણવંત શાહને આગળ...

"આસારામનો પૂર્વાશ્રમ વિવાદાસ્પદ છે અને એમનો વર્તમાન અસાધુતાના અતિરેકોથી ધેરાયેલો છે. એમને વિશે કડવું લખવાનું બનેલું. શબ્દો હતા : ‘થાંભલે થાંભલે દાઢી, અને દાઢીએ દાઢીએ થાંભલો!’"

"ઉભરો શાંત થઇ જાય પછી એકાદ વર્ષમાં જ આસારામનો સભામંડપ ફરીથી છલકાવાનો છે. હે હિંદુઓ! તમે કયારે જાગશો? શું કુંભકર્ણ તમારો ઇષ્ટદેવતા છે? "

"આશ્રમમાં સંસાર ઉભો થાય એના કરતાં સંસારમાં આશ્રમ ઉભો થાય તે ઇરછનીય છે. "

"કોઇ તગડા ધુતારાને ઓચિંતું સત ચડે છે અને કયાંક આશ્રમ સ્થપાઇ જાય છે. જમીનના ઝઘડામાં ખાનગી ગોળીબાર થાય છે. ‘આશ્રમ’ શબ્દ જ અઢળક નાણાં ખેંચી લાવે છે. નાણાં સાથે આપોઆપ કેટલીક મૂર્ખ શિષ્યાઓ ચાલી આવે છે. આશ્રમનું ભોંયરું રહસ્યમય શંòગારનું ઉપસ્થાન બની રહે છે. વિચારહીનતાનો મહોત્સવ જામે ત્યારે સ્વામી ધુતારાનંદજીનો જયજયકાર વધી પડે છે. ધીરે ધીરે કેટલીક દાઢીમૂલક અને લંગોટમૂલક હરકતો શરૂ થાય છે. સ્ત્રીઓનું શોષણ સ્ત્રીઓની પૂરી સંમતિથી થતું રહે છે. ફળિયાનું અંધારું પણ આશ્રમના અજવાળા કરતાં સ્ત્રીઓ માટે વધારે સલામત હોય છે."

અહીં "આશ્રમ" મતલબ ashram.org ?!! હું તો આ જ અર્થ લઈશ.

"કયારેક શકિતપાત અને વીર્યપાત વરચેની ભેદરેખા ખતમ થઇ જાય છે. સ્વામી કામસુખાનંદજીના મુખ પર તેજનું લીંપણ પથરાઇ જાય છે. મૂર્ખ અનુયાયીઓ એને બ્રહ્મચર્યનું તેજ સમજીને ગુરુ લંપટેશ્વરજીની ચરણસેવા કરતા રહે છે. પાળેલા ચેલકાઓ ગુરુ ઘંટાલજીના પ્રભાવની અફવાઓ ફેલાવતા રહે છે. ગંદા રાજકારણીઓ અને ભ્રષ્ટ ધર્મકારણીઓ વરચે સેંડવિચ થયેલી અંધશ્રદ્ધાળુ પ્રજાનું કોઇ ભવિષ્ય ખરું? આપણો ઉચિત ક્રોધ (મન્યુ) ખતમ થવાને આરે છે."

અહીં "મૂર્ખ" શબ્દનો ઉપયોગ એક્દમ યોગ્ય છે, કદાચ બીજા બે-ત્રણ સરસ સુરતી શબ્દો આપણી જાતે ઉમેરવા રહયા.

"એક સાચા સંત હતા. એમણે કોઇ ચમત્કાર ન કર્યો. એમણે કોઇને મૂર્ખ ન બનાવ્યા. નહીં ચેલા, નહીં ચેલી! નહીં ફંડ, નહીં ફાળો! નહીં આશ્રમ, નહીં પંથ! એમની ઘરાકી નહીં જામી. તેઓ આબાદ બચી ગયા. એમનું નામ સ્વામી આનંદ. સાધુ કોને કહે તે જાણવું હોય તો સ્વામી આનંદનાં પુસ્તકો વાંચવા રહ્યાં. ગાંધીયુગમાં બીજા સાધુ થઇ ગયા.
તેઓ ચિંતક કિશોરલાલ મશરૂવાળાના ગુરુ હતા. એમનું નામ કેદારનાથજી. એમનું પુસ્તક ‘વિવેક અને સાધના’ વાંરયા પછી ધર્મનો મર્મ આપોઆપ સમજાઇ જાય. વિનોબાજીનું પુસ્તક ‘અઘ્યાત્મ તત્ત્વસુધા’ વાંચીએ તો સાચા ધર્મની ભાળ મળે. જે ગુજરાતમાં પૂજય રવિશંકર મહારાજ થઇ ગયા, તે ગુજરાત આટલું અંધશ્રદ્ધાળુ શાને? હિંદુઓની એક હઠીલી મર્યાદા છે. તેઓ રામભકતને રામ ગણીને પૂજવા લાગે છે. તેઓ કૃષ્ણભકતને કૃષ્ણ (યોગેશ્વર) ગણીને પૂજે છે. આ બાબતે ઇસ્લામ પાસેથી શીખવા જેવું છે. પયગંબર ગમે તેટલા મહાન હોય, તોય ખુદા ન ગણાય."

ખુબ સાચી વાત છે, સ્વામિનારાયણ ધર્મના પાયામાં રહેલા ગ્રંથ શિક્ષાપત્રીમાં શરુઆતના શ્લોકોમાં ભગવાન કૃષ્ણને મુકેલા છે, પણ આજે તો કેટલાય સ્વામિ મંદિરોમાં યા તો કૃષ્ણ ભગવાન હોઈ જ નહીં, યા તો સ્વામિ સંતો કરતા પણ નીચા સ્થાને હોય. મેં એક સ્વામિ મંદિરમાં આરતી વખતે ફક્ત સ્વામિનારાયણ અને તેના સંતોની જ આરતી થતા જોયેલી, ભગવાન રાધાકૃષ્ણ આખી આરતીમાં અપમાન સહ્યા કર્યુ. ખેર, એ લોકો (સ્વામિવાળાઓ) પણ થોડા વર્ષોમા ઝપટમાં જરુર આવશે.

ફરી આગળ વધીએ...

"રસૂલેખુદા આદરણીય ઘણા પણ તેમની બંદગી ન થાય. તેથી કહ્યું છે : ‘આદમ ખુદા નહીં, લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં.’ બંદગી તો ખુદાની જ થાય. આપણા દેશમાં કેટલા ભગવાનો છે?

જગતમાં ઘણા ધર્મોછે અને ઘણી પ્રજાઓ છે. જે પ્રજા પોતાના ધર્મમાં દાખલ પડેલી મર્યાદાઓ અંગે સભાન થઇ જાય તે જ પ્રજા આગળ વધે છે. ખિ્રસ્તી ધર્મને સુધારક માર્ટિન લ્યુથરનો લાભ મળ્યો હતો. દરેક ધર્મમાં ‘પ્રોટેસ્ટંટ ઘટના’ બનવી જ જોઇએ. પ્રોટેસ્ટ કરે તે પ્રોટેસ્ટંટ ગણાય. હિંદુ ધર્મમાં વીર નર્મદ, દુર્ગારામ મહેતાજી અને રાજા રામમોહનરાય જેવા મહાનુભાવોને કારણે પ્રોટેસ્ટંટ ઘટનાઓ બની.

એ જ રીતે સ્વામી દયાનંદ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીએ હિંદુ ધર્મમાં પેધી પડેલી મર્યાદાઓ સામે બગાવત કરી હતી. ઇસ્લામમાં ‘પ્રોટેસ્ટંટ સિન્ડ્રમ’ ઝાઝી બુલંદી પર ન પહોંચી શકયો. ખુલ્લા મનની વિચારશીલતા વિના ધર્મ જામતો નથી. અંધશ્રદ્ધાળુ લોકો તો ધર્મનું શબ ચકીને ચાલનારા ડાઘુઓ છે. આ બાબતે ખિ્રસ્તી પ્રજા આજની દુનિયામાં ખાસી આગળ છે. પિશ્ચમના ખિ્રસ્તી જગતે સાવ ખુલ્લા મનથી યોગ, શાકાહાર, લોકતંત્ર, માનવ-અધિકાર અને ગ્રીન જીવનશૈલીનો મહિમા કરવાની પહેલ કરી છે. એ પ્રજાએ દુનિયાને રેડક્રોસ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવી મહાન ભેટ જગતને ધરી છે.

એ જ પ્રજાએ ઇતિહાસમાં બે વખત અણુબોંબ દ્વારા વિનાશ સર્જવાનો ઇતિહાસ પણ રરયો છે. વિસ્તારવાદી માનસિકતાને કારણે ખિ્રસ્તી વિચારધારા ઇસ્લામી વિચારધારા સાથે સતત ટકરાતી રહી છે. એવે સમયે હિંદુ પ્રજા જૉ વિચારશીલતા અને વિજ્ઞાનશીલતા અપનાવે, તો દુનિયામાં શાંતિનું અવતરણ થશે. સાધુવેશમાં ફરતા અસાધુઓને કારણે જગતનો સૌથી વિચારસમૃદ્ધ માનવસમાજ સતત માર ખાતો રહ્યો છે. રાવણે ભગવાં વસ્ત્રો ધારણ કરીને સીતાનું અપહરણ કર્યું હતું. બસ ત્યારથી સીતાઓ સતત છેતરાતી રહી છે. છેતરાવું એ હિંદુ સ્ત્રીઓનો સ્થાયીભાવ છે કે શું?

જેમ પ્રદૂષિત સેકયુલરિઝમ દેશના હિતમાં નથી, એ જ પ્રમાણે પ્રદૂષિત હિંદુત્વ પણ દેશના હિતમાં નથી. આસારામ સામે જે સ્વયંભૂ બળવો ગુજરાતમાં થયો તેની આગેવાની જૉ આર.એસ.એસ. વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળે લીધી હોત, તો હિંદુત્વની શોભા વધી હોત. આ ત્રણે સંગઠનો પરિશુદ્ધ હિંદુત્વમાં માને છે કે ગંદાગોબરા હિંદુત્વમાં? શું આ સંગઠનોને હિંદુત્વને લાગેલાં કલંકો પ્રત્યે પણ પ્રેમ છે? જે ધર્મ સ્વસુધારણાની ક્ષમતા ગુમાવી બેસે છે તેનું કોઇ ભવિષ્ય નથી હોતું. સદ્ભાગ્યે હજી પણ હિંદુત્વમાં પોતાની મર્યાદાઓ ખોળીને તેની સામે લડવાની તાકાત બચી છે. પોતાને ‘સનાતની હિંદુ’ ગણાવનારા મહાત્મા ગાંધીએ આવી પ્રચંડ તાકાત બતાવી હતી. એમનું હિંદુત્વ તો મનુષ્યત્વનું જ બીજું નામ હતું. હિંદુઓ આજે એક વિચારક્રાંતિના ઓવારે બેઠા છે. તેઓ કયારે જાગશે? "

વિચારશીલતા અને વિજ્ઞાનશીલતા ... ૨૦૫૦ સુધીમાં આપણા હિંદુ ધર્મમાં આવે એવું દેખાતું નથી... ઘેંટાના ટોળાની જેમ જામતો હકકડેઠઠ મેદની - આપણા કહેવાતા કેટલાક (અ)સાધુની સભાઓમાં - આ વાતની સાબિતી નથી પુરતો ?? કયાંક રખેને તમે પણ આ ટોળામાં તો નથી ને ?? ચેતી જજો.. ત્રાસવાદ જેટલો જ ખતરનાક છે, આ સ્વામિવાદ..


"હિંદુઓ ! તમે કયારે જાગશો? .." આ છે ગુણવંત શાહના લેખનું મથાળું... હવે, સમજાયુ મને ગુણવંત શાહ કેમ પસંદ છે ?