Monday, October 26, 2009

દિવ્ય ભાસ્કરનો તરખાટ




નવા વર્ષની શરૂઆત ગુજરાતી ઇ-છાપાઓ માટે કંઇક સારી નથી.  કદાચ સ્ટાફ રાજા પર હોય કે પછી તહેવારોની મોસમના લીધે બેધ્યાનપણું વધુ હોય - જે પણ હોય - પરંતુ સમાચાર પત્રની વેબસાઈટ પર સમાચાર મુકવા અંગે કોઈ પ્રોસેસનું પાલન થતું દેખાતું નથી અથવા તો આવી કોઈ પ્રોસેસ છે જ નહિ કે જેનું પાલન કરવું પડે.

જે રીતે છાપું પ્રિન્ટમાં જાય ઇ પહેલા બધું મટીરીયલ ચોકસાઇપૂર્વક જે તે વિભાગના એડિટરના ચશ્માં નીચેથી પસાર થાય, વાંધા-વચકા, જોડણી,  કાપકૂપ વગેરે પ્રોટોકોલ બાદ છાપું પ્રિન્ટમાં જાય પણ ઓનલાયન છાપાઓને  આ બધી બાબતો ઓછી લાગુ પડે છે એવી મારી માન્યતા દિન-પ્રતિદિન મજબુત થતી જાય છે.

માન્યું કે છાપું કાઢવું એ ૨૪ કલાકનો પ્રોજેક્ટ છે પણ દુનિયામાં ઘણા છાપા નીકળે છે અને બધા કઈ આવું દેવાળું ફૂંકતા નથી !

એમાંય દિવ્ય ભાસ્કરે તો હદ કરી છે. છાશવારે એમની વેબ સાઈટ પર છબરડા હોય છે. ખરેખર તો હાલની વેબસાઈટ તો હજુ ડેવલ્પમેન્ટમાં  (Under Construction) હોય એટલી નીચેની કક્ષાની છે જાણે કે કોઈ પણ પ્રકારનું QA થયા વિના મુકાય ગઈ છે. ખેર એ એક આડવાત થઇ, આપણે વાત કરતાં હતાં  સમાચારોની.
જુઓ નીચેના ચાર સમાચારો - આ આમ તો એક જ સમાચાર છે પણ એનું આપણે ટેસ્ટીંગ કરવાનું હોય એમ ચાર જુદા જુદા હેડીંગ સાથે
૧)અમદાવાદના ફેકલ્ટી 
૨)આઇઆઇએમ
૩)૧૧૧૧૧૧૧ 
૪)૨૨૨૨૨૨

અને સમાચારમાં પણ કેટલાય અક્ષરો બીજા ફોન્ટમાંથી બરાબર પરિવર્તન પણ પામ્યા નથી .
તો વળી બીજા એક સમાચારનું હેડીંગ છે : (............................),અમદાવાદ

છાપુ બંધ રહેશે પણ ઓનલાયન અપડેટ દિવાળીની રજાઓમાં ચાલુ રહેશેની જાહેર ખબરો ચીપ્કાવ્યા પછી આમ 'દિ વાળવાનો'?

આ સમાચાર ( શેરબજારોમાં મુહૂર્તના સોદામાં ટાબરિયાનો તરખાટ!) માં તમને ક્યાંય સમજાય કે ટાબરિયાએ શું તરખાટ કર્યો તો મને સમજાવશો પ્લીઝ ?